________________
૨૨૦ ૨. સ્ત્રી, દીકરા, દીકરી, ભગવાન, ભગવાનની વાણી, પુષ્ય, પાપ, રાગ ઇત્યાદિ અનેક પ્રકારના જોયો
છે. આ શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉત્પન્ન સામાન્યનો તિરોભાવ એટલે એકલા જ્ઞાનના અનુભવનું ઢંકાઈ જવું તથા વિશેષોના આવિર્ભાવ એટલે શેયના સંબંધથી જ્ઞાનનું પ્રગટ થવું - આ વડે રાગ આદિ દ્વારા જે શેયમિશ્રિત જ્ઞાનનો અનુભવ થાય તે અજ્ઞાન છે, તેમાં આત્માનો સ્વાદ
આવતો નથી. ૩. રાગ દ્વારા જ્ઞાનનો શેયાકાર વિશેષ એ ખરેખર તો સામાન્ય જ્ઞાનની અવસ્થા છે, પણ ભ્રમથી માને
છે કે રાગની અવસ્થાને લઈને જ્ઞાન થયું. આ માન્યતા તો મિથ્યાત્વ છે અને દુઃખનું વેદન છે ૪. પુણ્ય અને પાપના વિકલ્પ જે શેય છે એ ઉપર જેની દૃષ્ટિ છે, એમાં જેને આસક્તિ છે અને જે શેય
દ્વારા જ્ઞાનનો સ્વાદ આવે છે એ દુઃખનો, આકુળતાનો સ્વાદ છે. આ શેયલુબ્ધ જીવોને દયા, દાન આદિ પુણ્ય અને ક્રોધ, માન આદિ પાપના વિકલ્પો જે પરણેય છે, આત્માથી ભિન્ન છે એ દ્વારા રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયનો મિશ્રિત અનુભવ થતાં જે સ્વાદ આવે છે એ દુઃખના સ્વાદ છે,
વિપરીત છે, ઝેરનો સ્વાદ છે કેમ કે એમાં આત્માના સામાન્ય જ્ઞાનનો અનુભવ ઢંકાઈ ગયો છે. ૫. રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. શેયાકાર જ્ઞાનનો
અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થવો એ અધર્મ છે. ૬. આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગ સ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા
જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. ૭. “વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ
જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે” જ્ઞાયક ઉપર જેની દષ્ટિ છે એ તો જાણે છે કે આ જ્ઞાનનું વિશેષ જ્ઞાન સામાન્યમાંથી આવે છે. જ્ઞાયક ઉપર દષ્ટિ પડતાં જ્ઞાનની પર્યાયનું વદન આવે છે. (રાગનું નહિ, રાગથી નહિ) રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં
અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દષ્ટિનો ફેર છે. ૮. સમયસાર ગાથા ૧૭, ૧૮માં આવે છે કે આબાળ ગોપાળ સર્વને રાગ, શરીર, વાણી જે કાળે દેખાય
છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં (શેયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ શેયનું વિશેષ છે, શેયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન વિશેષ છે પરણેયનું
જ્ઞાન નથી, પરણેયથી પણ નથી. જ્ઞાન દ્વારા જ્ઞાનનું વદન એ જ સમ્યક પુરુષાર્થ છે, યથાર્થ છે. ૯. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે અનુભવમાં આવતો
હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર(દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે નહિ જાણેલાનું