SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ શેયમાં તન્મય નથી. તેથી જ્ઞાનમાં પોતાનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ જ વિસ્તરે છે, તેમાં પરનો વિસ્તાર નથી. ૮. વિશ્વાસ લાવ: સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. જ્યાં સુધી તું સંયોગમાં, નિમિત્તમાં, વ્યવહારમાં, પુણ્ય-પાપમાં, કર્મોમાં, રાગમાં ક્યાંય પણ પ્રભુતા સ્થાપીશ – મોટપ માનીશ ત્યાં સુધી આત્મા હાથમાં નહિ આવે. માટે અંતરમાં તારી પ્રભુતાનો સ્વીકાર કર! પરમેશ્વર છું એમ નકકી કર! વિશ્વાસ લાવ! અંતરથી સ્વભાવનું સામર્થ્ય આવવું જોઈએ. ૯. વસ્તુસ્વભાવ આત્મા વસ્તુ પોતે વીતરાગ સમાધિ સ્વરૂપ જ છે. અકષાય સ્વરૂપ જ છે. તેને અકષાય દષ્ટિ દ્વારા અવલોકવો. જ્ઞાનાનંદરૂપી વજની કાતળી એવા આત્મતત્ત્વને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની નિર્વિકલ્પ સમાધિમાં અનુભવવો તે જ એક કર્તવ્ય છે. તેમાં જે નિર્વિકલ્પ શાંતિ વેદાય છે તેનું જ નામ ધર્મ છે. વસ્તુ તો સમાધિનો પિંડલો છે. એકલો નિર્દોષ વીતરાગ સમાધિનો પિંડ તે જ આત્મા છે. તેને અંતર્દષ્ટિ, જ્ઞાન અને શાંતિ સમાધિ દ્વારા અવલોકવો તે જ ધર્મ છે. એક સમયનો વિકૃતભાવ છે, એનાથી રહિત આખી ચીજ પડી છે. વિકૃતભાવમાં વસ્તુ નથી એવો યથાર્થ નિર્ણય કર્યો એટલે બસ એ છૂટી ગયો. વિકૃતભાવથી ભેદ પાડવો; બસ એ જ કરવાનું છે. બીજુ બધું તો જુદું જ છે. ૧૦. દ્રવ્ય શક્તિ અનાદિ અનંત છે, તેને ફેરવવી નથી. તે દ્રવ્યમાં જે જે પર્યાયો થવાનો ધર્મ છે તે પર્યાયોને ફેરવવી નથી. શુભાશુભ વિકલ્પને ફેરવવા નથી, નિમિત્તને ફેરવવા નથી, સંયોગોને ફેરવવા નથી. જુઓ, આમાં ક્યાંય ફેરવવાનું નથી. બધું જેમ છે તેમ છે, તેને નક્કી કરીને પોતે અંતરસ્વભાવ સન્મુખ થઈને વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે પરિણમી જાય છે. આવી ધર્મની રીત છે. બધું જેમ છે તેમ નક્કી કરતાં પોતાની સંયોગી દૃષ્ટિ છૂટીને સ્વભાવ દષ્ટિ થઈ જાય છે, એટલે આત્મામાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. ૧૪ ધર્મ શું છે? જ્ઞાયક શું છે? : ૧. અનેક પ્રકારના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની શેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય શેયાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્ય આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞ ન તે સ્વાદમાં આવતું નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy