________________
૨૦૪ ૧૦. પરદ્રવ્ય અને અશુદ્ધતાનું લક્ષ છોડી, ભગવાન આત્મા જે આનંદનો નાથ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુ છે
તેનો આશ્રય લેતાં સંસાર કહેતાં વિકાર મટે અને ત્યારે કલેશ મટી સુખ થાય. પર્યાયદષ્ટિ છોડી જ્યાં
દ્રવ્યની દષ્ટિ કરી ત્યાં પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. ૧૧. સમ્યગ્દર્શન પામ્યા પછી શુદ્ધ નયનો આશ્રય પામી વિશેષ વિશેષ અંતરમાં લીન થતાં ચારિત્ર પ્રગટે
છે ત્યાં વિશેષ વિશેષ સુખ થાય છે. શુદ્ધ નયનો આશ્રય સંપૂર્ણ થતાં વીતરાગતા, કેવળજ્ઞાન અને
અનંત સુખ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ માર્ગ છે. ૧૨. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન
કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. તેથી રત્નત્રય
ધર્મ પ્રગટ થાય છે. ૭. પરમ પારિણામિક ભાવ:
આ સંસારમાં સર્વ જીવો અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોના સમુહો, જે પરદ્રવ્ય અને પરણેય છે, તેના મોહમાં પડેલાં છે, તેમાં મોહ કર્મના ઉદયનું નિમિત્ત અવશ્ય હોય છે. પરદ્રવ્યના નિમિત્ત વિના આત્મામાં પરભાવ થતો નથી, કારણ કે આત્મા પોતે જ પોતાનું નિમિત્ત બનીને સ્વયં વિકારરૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ નથી. પરદ્રવ્યના નિમિત્તે આત્માની વર્તમાન પર્યાયમાં પોતાના કારણે જ એટલે સ્વતંત્રતાથી પોતાના જ ષટ્ટારકોથી પરંતુ નિમિત્તના સાનિધ્યમાં વિભાવ પરિણતિ
થાય છે, રાગ-દ્વેષ-મોહાદિ ઉપજે છે. આ સમસ્ત વિભાવભાવો સ્વસ્વરૂપનો અપરાધ છે. ૨. આ સ્વસ્વરૂપથી અત્યંત ભિન્ન એવા પરશેય છે, તેમાં આ જીવે અહબુદ્ધિ, મમત્વ, કબુદ્ધિ,
ભોક્તાબુદ્ધિ, યત્વબુદ્ધિ કેમ કરી? પ્રીતિ-અપ્રીતિ કેમ કરી? તેમને સુખનું સ્થાન કેમ માન્યું? ૩. તેનો ઉત્તર એ છે કે આત્માનો ભેદજ્ઞાનરૂપ પ્રકાશ તિરોભૂત(અપ્રગટ) થઈ રહેલો છે. પોતાનું સ્વરૂપ
શું છે તેની જાણકારી જીવને થઈ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત'. ૪. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ નિજ આત્મતત્વમાં પ્રતીતિ કરી નથી, તેનું લક્ષ અને અનુભવ કર્યો નથી. તે
સ્વરૂપ પોતાથી અપ્રગટ રહ્યું. ૫. નિશ્ચયથી આત્મા પરદ્રવ્યો સાથે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકર્તુત્વ કે શેયત્વ કરી શકે એવી વસ્તુની
મર્યાદા નથી. માત્ર ભ્રમમાં જ આ બધું કર્યું છે. અજ્ઞાનદશામાં રાગાદિરૂપ વિકલ્પો જ માત્ર કરે છે.
એવી જાણકારીમાં માત્ર દુઃખનો જ અનુભવ થાય છે. ૬. જિનેશ્વર દેહની વાણી આ ભ્રમ મટાડવાનો એક જ ઉપાય છે. આત્મા પોતે પોતાને ઓળખે નહિ,
અનુભવ કરે નહિ તો પોતાનું દુઃખ કેમ ટળે ? આત્મજ્ઞાન અથવા સમ્યગ્દર્શન એ જ સુખી થવાનો
સાચો ઉપાય છે. ૭. જગતના સર્વ પદાર્થોમાં અને તત્ત્વોમાં સારભૂત તત્ત્વ અને પદાર્થ તે સર્વોત્કૃષ્ટ ચૈતન્ય ચમત્કારરૂપ