________________
૨૦૩ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપે જ
રહે છે. ૨. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. પર્યાયિદષ્ટિથી
જુઓ તો તે મલિન જ દેખાય છે. ૩. પર્યાય જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યોના સંયોગજનિત પર્યાય છે. પરનિમિત્તના ભાવ
અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત્ત-અપ્રમત્ત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ
જ્ઞાયકભાવ સ્વભાવ ભાવમાં નથી એમ કહ્યું છે.' ૪. ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધ નયનો વિષય છે. અહીં દ્રવ્યદૃષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ
કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. દ્રવ્યદૃષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી. ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ, અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહિ. પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે. વસ્તુસ્વભાવની દષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર છે : એક ત્રિકાળી સ્વભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય
પ્રમત્ત-અપ્રમત્ત ભેદરૂપે થયો જ નથી. નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ જ રહ્યો છે. ૬. દષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં શુદ્ધ'
જણાયો. દષ્ટિ જ્યારે શુદ્ધની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે,
અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. ૭. “જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે. કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે
ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ જેવા શેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા
નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. ૮. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી'. શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું જ
છું, શેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ ભેગું જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ શુદ્ધ' જણાયો
પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. ૯. હવે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવા
શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. ,