SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ તેથી તેમના આશ્રયે આત્મા જણાય તેવો નથી. આવો શુદ્ધ આત્મા જદષ્ટિનો-નજરનો-સમ્યગ્દર્શનનો વિષય છે. ૧૪. તે જ્ઞાયક સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે. જ્ઞાયકભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ પણ જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વદ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. ચૈતન્યદેવ જ્ઞાયક તેને સર્વ પરભાવથી ભિન્નપણે સેવતાં-ઉપાસતાં તે ‘શુદ્ધ' છે એમ કહ્યું છે. એટલે નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો. એને તે ‘શુદ્ધ' છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકનો પર્યાયમાં સ્વીકાર કરતાં એ “શુદ્ધ’ છે એમ જાણવામાં આવે છે અને તેને સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મનું પહેલું પગથીયું કહેવામાં આવે છે. ૧૫. ‘જ્ઞાત તે તો તે જ છે' - શેયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્ય પાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જે જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન શેયાકારે પરિણમે છે, છતાં શેયના કારણે જ્ઞાન શેયાકાર થાય છે એવી પરાધીનતા નથી. જાણનાર શેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ શેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન-આકાર પોતાથી થયો છે. રાગાદિ શેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાને કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલ પોતાના જ્ઞાનને જાણ્યું છે. જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે શેયાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે. અન્ય શેયરૂપ થતો નથી. શેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, શેયની નથી. જ્ઞાનની પર્યાય શેયના જાણપણે થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. પરના જાણવાના કાળે પણ સ્વનું પરિણમન - જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહિ. જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પાર્થયની પોતાની લાયકાતથી પરિણમે છે, જોય છે માટે પરિણમે છે એમ નથી. ભાવાર્થ વિશેષ: ૧. આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તે અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. મૂળ દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ પર્યાય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy