SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ જેમ એકક્ષેત્રાવગાહ સંબંધ છે. ખરેખર દૂધ દૂધપણે છે અને પાણી પાણીપણે છે. એટલે કે પાણી ને દૂધ ભિન્ન ભિન્ન છે. તેવી રીતે દૂધ સમાન આત્મા ભિન્ન છે અને પાણી સમાન કર્મપુદગલો ભિન્ન છે. જ્ઞાયક જ્ઞાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્ગલપણે છે. પણ બન્ને વચ્ચે એક સમયની પર્યાય પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ૭. છતાં પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો ભિન્ન છે એટલે કે અનાદિ બંધ પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આત્મા ને કર્મ એક દેખાય છે. પરંતુ વસ્તુના સ્વભાવથી જોવામાં આવે તો ભિન્ન છે. કષાયચક્રના ઉદયની વિચિત્રતાને વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, કેમ કે શુભાશુભ ભાવમાં જ્ઞાયકપણું નથી. શુભાશુભ ભાવરૂપે દ્રવ્યસ્વભાવ કદી થયો જ નથી. કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. શુભાશુભ ભાવ તો રાગાદિરૂપ અચેતન છે, અજીવ છે. જીવ જ્ઞાયક તે શુભાશુભરૂપે કે જે અજીવ જડ છે તે રૂપે કેમ થાય? ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાયક છે તે તો ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. ૮. ભાઈ! તારી ધ્રુવ વસ્તુ અનાદિ અનંત એવી ને એવી પડી છે, એકરૂપ છે. શુભ-અશુભ ભાવો તો અનેકરૂપ છે. પંચ મહાવ્રતના પરિણામ, દયા-દાનના પરિણામ, વિષય-કષાયનો પરિણામ ઇત્યાદિ અનેક શુભાશુભ ભાવોના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધ દ્રવ્ય કદી થતું નથી. ૯. અહા! ચૈતન્યસ્વરૂપ - જ્ઞાયકસ્વરૂપ વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસ સ્વરૂપે જ બિરાજમાન થાય છે તે રાગરૂપે કેમ થાય? એટલે કે જે જિનસ્વરૂપે - વીતરાગ સ્વરૂપે બિરાજમાન જ્ઞાયક ભાવમય આત્મા રાગરૂપે કેમ થાય? ૧૦. ત્યારે રાગરૂપે કોણ થાય છે? પર્યાયમાં રાગ થાય છે પણ વસ્તુમાં રાગ નથી. શીતળ શીતળ... શીતળ એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ ચંદ્ર છે. તો પછી તે અશીતળ એવા જે વિકાર અને આકુળતા છે તે રૂપે.કેમ થાય? એ વસ્તુ શું છે? એ તો જિનચંદ્ર સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે. ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ છે. માટે તે વસ્તુસ્વભાવ- જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી. ૧૧. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. આત્મા, શરીર, મન, વાણી અને જડ કર્મપણે તો થતો નથી, પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભાશુભ ભાવપણે પણ થતો નથી એવી જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. ૧૨. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર્સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો - અનુભવ્યો તેને મુક્તિના કહેણ મળી ગયાં એવા આ છઠ્ઠીનો લેખ છે. ૧૩. ઔદયિક આદિ ચાર ભાવો ત્રિકાળી સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવ જે ઔદયિક ભાવ છે તે રૂપે જ્ઞાયક પરિણમતો નથી કેમ કે તે અચેતન છે એ વાત તો ઠીક, પણ ક્ષયોપશમ, ક્ષાયિકભાવ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાયો છે, છતાં તે ભાવ વસ્તુમાં નથી. આવી સૂક્ષ્મ વાત છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય તે જ્ઞાયકમાં નથી. આ ચાર ભાવો પર્યાય સ્વરૂપ છે અને
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy