________________
૩
છતાં પોતાના સ્વરૂપને નહિ છોડનાર અને અશુદ્ધ નયે પરિણમે તો પણ પોતાના અસંખ્યાત્ પ્રદેશમાં રહેનારો તથા પરમાં નહિ જનારો, પરરૂપે નહિ થનારો આવો જીવ નામનો પદાર્થ છે અને આવું તેનું સ્વરૂપ છે.
૩. આ રીતે આત્માના બેઉ પડખાં બહુ જ સમજવા જેવા છે. ‘આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય’ આત્મા વસ્તુપણે નિત્ય છે એટલે પોતાના અનંત ગુણોને ટકાવી એ ગુણોની અવસ્થા જેને પર્યાય કહેવાય છે તે સમયે સમયે પલટાય છે. પર્યાય ઉત્પાદ-વ્યય સ્વરૂપ હોવા છતાં દ્રવ્ય તો ધ્રુવ જ છે. (કાંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, દળ તો ધ્રુવ જ છે.) અનંત ગુણ-પર્યાયવાળું તે દ્રવ્ય - મૂળ પદાર્થ તે ત્રણે કાળ રહેનાર વસ્તુ છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે, પરંતુ ગુણોની પર્યાય પલટાય છે.
૪. પરમા થૂક નયથી ભગવાન આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં અનાદિકાળથી જીવ અનંત જન્મ મરણ કરીને, આ સંસાર વિષે ચતુર્વિધ ગતિઓ કરીને ભ્રમણ કરતાં અનંત દુઃખ ભોગવતો રહ્યો છે. જીવે જ્યારે મનુષ્યપણું પ્રાપ્ત કર્યું, વિકસીત મન મળ્યું ત્યારે પણ જીવે વિચાર કર્યો નહિ કે આ દુઃખનું કારણ શું ? અને તે મટાડવાનો ઉપાય શું ? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે ઃ
૬.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’
જીવે અનાદિકાળથી પોતાના સ્વરૂપ વિષે ભ્રમણા’જ સેવી છે. હવે જો સદ્ગુરુના બોધનો આશ્રય લે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે, અને વિચાર અને નિદિધ્યાસન વડે ભ્રમણા દૂર કરવાનો ઉપાય કરે, એ ભ્રમણા દૂર થઈ શકે એમ છે અને ભવભ્રમણનો અંત કરનાર પ્રથમ પગથીયું સમ્યગ્દર્શન પ્રગટાવી શકે અને પરંપરાએ ઉન્નતિ કરતાં મોક્ષ પ્રાપ્ત કરી શકે એમ છે.
૫. અનાદિકાળથી જીવ સ્વ ઘરને ભૂલીને પર ઘરમાં જઈને વસ્યો છે. તે જ અનંત દુઃખ અને સંસારનું કારણ છે. અર્થાત્ નિજ સ્વરૂપને ભૂલી ગયો છે. ‘હું એક જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’ એ વાત ભૂલી ગયો છે. તે સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી, એની સાચી શ્રદ્ધા કરી નથી અને તેમાં અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટાવ્યું નથી.
સ્વરૂપને ભૂલ્યો તેથી પર દ્રવ્યોમાં મોહ કરી તેમને પોતાના માન્યા છે જેમ કે ‘ આ દેહ તે મારી વસ્તુ છે.’ પર વસ્તુને પોતાની માનવી એ મિથ્યા માન્યતા છે, એ દર્શનમોહ છે. જો જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજીને પોતાથી એકત્વ અને પરથી વિભક્ત સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી, આત્મભાવના સહિત પરિણમે તો સમ્યગ્દર્શન પ્રગટાવી શકે. સ્વરૂપ સમજવા માટે યુગના યુગ નથી જોઈતા.
૭. સમ્યગ્દર્શન પ્રગટાવવા માટે જીવના પર્યાયમાં જે રાગ-દ્વેષની પરિણિત હોય છે તેને જીવ સત્પુરુષાર્થ વડે ઉપશમાવે છે, અને સ્વભાવ સન્મુખ થતાં એક સમય માટે પર્યાયમાં વીતરાગતા આવે છે, આત્માની અનુભૂતિ પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ આનંદરસનું, શાંતરસનું વેદન અંશે થાય અને તેની સાથે જ સમયાંતર વગર સમ્યગ્દર્શન પ્રકાશી ઉઠે છે. આ આનંદરસ કેવળી ભગવાન જે આનંદ