________________
મંત્રમાં છે. બધા જ ભવ્ય જીવો આ સ્વરૂપના સમજણની સાધનામાં ઉગ્ર પુરુષાર્થ ઉપાડી સમ્યગ્દર્શન પામે અને એ અપૂર્વ સુખનો અનુભવ કરી પરંપરાએ અનંત અક્ષય સુખવાળી મોક્ષ દશા પ્રાપ્ત કરે એ જ
સમજણનું પ્રયોજન છે. ૨. માનવ જીવનનું મહાન કર્તવ્ય “સમ્યગ્દર્શન’
સંસારમાં મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્ય ભવ અનંતકાળે મળે છે. બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચકનો, આંટો નહિ એકે ટળ્યો.” મનુષ્યપણું મળ્યા પછી સમ્યગ્દર્શન પ્રગટ થવું તે તો તેનાથી અત્યંત દુર્લભ છે. આ અપૂર્વ એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરવાથી જીવ સંસારમાં રખડે છે અને અત્યંત દુઃખ ભોગવે છે. હવે સમ્યગ્દર્શન એ એવી ચીજ છે કે એક વાર પણ જીવ તેને પામે તો જીવનો અવશ્ય મોક્ષ થાય એ નિશ્ચિત છે. માટે મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી અનંતગણા દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો એ જ માનવ જીવનનું આ મહાન કર્તવ્ય છે. સમ્યગ્દર્શન વગર સાચું જૈનત્વ હોતું નથી. ધર્મની શરૂઆત જ સમ્યગ્દર્શનથી થાય છે. અને આ ભવમાં આ કાળમાં આ ક્ષેત્રે ભલે મોક્ષ ન થાય તો પણ સમ્યગ્દર્શન કોઈ પણ ભવ્ય સંજ્ઞી પંચેન્દ્રિયને થઈ શકે છે. એ કાર્ય અશક્ય નથી. સત્સમાગમે આત્મસ્વભાવ સમજવાનો પુરુષાર્થ કરે તો તે સહજ વસ્તુ છે, સરળ છે, આત્માના પોતાના ઘરની તો ચીજ છે.
માત્ર એક સમયનું સમ્યગ્દર્શન જીવના અનંત ભવોનો નાશ કરીને ભવસમુદ્રથી પાર લઈ જાય છે. જિજ્ઞાસુ જીવોએ સમ્યકત્વના દિવ્ય મહિમાને સમજો અને સત્સમાગમે એ કલ્યાણકારી સમકત્વને પામીને આ ભવસમુદ્રને પાર પામો! એ જ આ માનવ જીવનનું મહા કર્તવ્ય છે.
અહો! સમ્યગ્દર્શન! એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. માટે સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. ૩. આત્મસ્વરૂપ : ૧. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર શરૂઆત આ રીતે કરી છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પાપો દુઃખ અનંત; સમજવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.”
તો આ આત્મસ્વરૂપ કેવું છે જે આજ દિવસ સુધી સમજાયું નથી. ૨. જો કે વ્યવહાર નથી, પર્યાયાર્થિક નયથી આત્મા અનેક અવસ્થાવાળો અને અશુદ્ધ તથા રાગ-દ્વેષ
સહિત છે. પરંતુ પરમાર્થ દષ્ટિથી, નિશ્ચય નયથી, વ્યાર્થિક નયથી આત્મા નિર્વિકાર, અનંત જ્ઞાનરૂપી લક્ષણથી લક્ષિત, અનંત શુદ્ધ ગુણોનો પિંડ, આનંદકંદ, વિજ્ઞાન ઘન, ત્રિકાળ એક શુદ્ધરૂપે રહેનારો તેથી ધ્રુવ, નિર્મળ, પરમ પવિત્ર, એક જ્ઞાયકભાવ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધૌવ્યમયી સત્તા સ્વરૂપ, દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ, અનંત ધર્મોના વૈભવયુક્ત ગુણ પર્યાયવાળો, સ્વ પર પ્રકાશક, આકાશાદિ છ દ્રવ્યથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ, અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા