________________
૧૯૪ જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ આખો જીવ પદાર્થ તે કેવો છે તે સાત બોલથી સિદ્ધ કરે છે. ૧. જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવની એકતારૂપ અનુભૂતિને
સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા થાય છે. અનાદિથી જીવ સત્તાસ્વરૂપ પદાર્થ છે. ૨. દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. દર્શન-જ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે. ૩. અનંત ધર્મોમાં રહેલાં એકધમપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય
હોવાથી વસ્તુ છે. ૪. ગુણ-પર્યાયવાળો છે. અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો સહિત છે. ૫. સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. સ્વ-પર
પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. જ્ઞાનમાં અનંતને જાણે, લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય
એકરૂપ છે. ૬. અસાધારણ ચૈતન્યગુણના સદ્ભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પર
દ્રવ્યથી ભિન્ન છે. ૭. અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ
ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તો પણ પોતામાં જ રહે છે, પરમાં જતો નથી - પરરૂપે થતો
નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. ૩. “સ્વસમય અને ‘પરસમય':
સ્વસમય: જે શુદ્ધ ચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમ ભાવરૂપ અશુદ્ધ ભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયાદિ પ્રાણોને દષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દષ્ટિ - રુચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદ્ભુત વ્યવહાર પ્રાણ છે. એ સ્વસમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે.
આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સત વ્યવહાર છે.
દર્શન-જ્ઞાન સ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને ? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યફ રત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે. આ અંતર આત્મા છે. પરસમય : પરસ્વભાવરૂપ-મોહ-રાગ-દ્વેષરૂપ થઈને રહે તે પરસમય છે. અર્થાત્ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી અત થઈને પુણ્ય-પાપ વા રાગ-દ્વેષને એકપણે એક કાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે