________________
૧૯૩
૧૧
સમ્યગ્દર્શનનો વિષય - જ્ઞાયક-ભગવાન આત્મા
૧. આત્માનું જ્ઞાન સ્વરૂપ :
आत्मा ज्ञानं स्वयं ज्ञानं, ज्ञानादन्यत् करोति किम । परभावस्य कर्तात्मा मोहोङयं व्यवहारिणाम् ॥६३ ॥ અર્થ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ - અજ્ઞાન છે. एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम ॥७४ ॥ અર્થ એ રીતે આ આત્માકર્મકૃત(રાગાદિ અને શરીરાદિ) ભાવોથી અસંયુક્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે; તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. एको मे सासदोअप्पा णाणदंसणलक्खणो। सेसा मे बहिरा भावा सब्वे संजोगलक्खणा॥ હું સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છું; બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
આવું શુદ્ધાત્માનું સ્વરૂપ આગમમાં બતાવ્યું છે તે વિચારણીય છે. ૨. “સમય” એટલે શું? “પ્રમાણજ્ઞાનનો વિષય':
જીવ ચરિત-દર્શન-જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મ પુલના પ્રદેશે પરસમય જીવ જાણવો.” -‘સમયસાર’ ગાથાર્થઃ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ અને જે જીવ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. વિશેષાર્થ: ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “સમ” તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણુંએવો છે અને “મા તો ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એક સાથે જ જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જેએકત્વપૂર્વક કરે છે તે સમય છે. આ જીવનામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. દરેક પદાર્થનું સ્વરૂપ જ સમય છે, અર્થાત્ દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે તેથી તેને ‘સમય’ કહેવામાં આવે છે. ‘સમય’ શબ્દનો બીજો અર્થ એ છે કે એકી સાથે જાણવું અને પરિણમન કરવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. હવે ‘સ્વસમય’ અને ‘પરામય શું છે? - જીવ એટલે ભગવાન આત્મા જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે એને સ્વસમય કહેવામાં આવે છે. જે જીવ જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણિત થાય છે, સ્થિરતામાં આવે છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. જે આત્મા પોતાના સ્વરૂપે પરિણમે છે એને સ્વસમય કહ્યો છે. જે જીવ રાગમાં સ્થિત છે, એ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે તે ભગવાન આત્મા શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી તે પરસમય જાણ.