SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ૭. આત્મસ્વરૂપના ધ્યાન અર્થેની ભૂમિકા (સાર) ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે કે આગમ-અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય તેવી સમજણ. ૨. સહજ વૈરાગ્ય અર્થાત્ રાગથી વિરક્તપણું એટલે રાગમાં દુઃખનો અનુભવ હોય તેથી નિરસપણું વર્તતું હોય. ૩. ભેદજ્ઞાનના પ્રયોગને લીધે મન - ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય. ૪. જેને સ્વરૂપ પ્રત્યે ઢળવાનું વલણ - સહજ પુરુષાર્થ. ૫. ભય અને કુતૂહલ-વિસ્મયાદિ ન હોવાથી જેના ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય. ૬. જેને શીઘ(ત્વરાથી) નિજ કાર્ય કરવાની વૃત્તિ અને ધગશ હોય તેથી જેને પ્રમાદન હોય. ૭. ધૈર્યવાન અને ગંભીર હોય. ૮. એકમાત્ર મુક્તિનો ઇચ્છુક અને ઉદ્યમી હોય અને પૂર્ણતાને લક્ષે જેની શરૂઆત હોય. ૯. નિજ પરમપદનો જેને મહિમા હોય(આત્માથી સૌ હીન). આત્માનો પ્રમોદ, પરીચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ વિધીથી ક્રમબદ્ધ જાણકાર હોય. ૧૦. એવી જેની ભૂમિકા છે તે મહાભાગ્ય સ્વરૂપમાં સ્થિર થવા ધ્યાન કરવાને સમર્થ છે. “પરમ પદનું ધ્યાન પરમ પદની પ્રાપ્તિનું કારણ છે.”
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy