SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ સાચો નિર્ણય થાય છે. હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું” આવા નિર્ણયપૂર્વક જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે છે. સિદ્ધપદની આરાધના આત્માની અંદર જ શરૂ થાય છે. અનુભવની પ્રક્રિયા એ બહુ જ નિરાળી વસ્તુસ્થિતિ છે. ૫. આત્મા પોતે જ્ઞાન-દર્શન-સુખ સ્વભાવી મહાન પદાર્થ છે. તેમાં કોઈ કલેશ નથી. અહા! નિરાલંબી વસ્તુ સ્વભાવ! એને સાધનાર સંતોની દશા અંતરમાં આવી નિરાવલંબી જ હોય છે. હે જીવ! તારે પરમેશ્વર થવું હોય તો પરમેશ્વરની શોધ અંતરમાં જ કર ! પરમેશ્વરપણું જે આત્મામાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય છે. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ’ આ રીતે સ્વભાવ સમ્મુખ જીવ અંતર શોધમાં વર્તે છે. ૬. જીવાદિ પદાર્થોના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરનારું સમ્યગ્દર્શન તે ધર્મનું મૂળ છે. તેમાં જગતના બધા સુખ સમાઈ જાય છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ, કૃતાર્થ, પંડિત છે કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. મોક્ષ મહેલનું પ્રથમ પગથિયું સમ્યગ્દર્શન છે. તે જ દુર્ગતિના ક્ષારને રોકનાર મજબૂત કમાડ છે, તે જ ધર્મના ઝાડનું સ્થિર મૂળિયું છે. મિથ્યાત્વની - સંસારની મોટી વેલને તે મૂળમાંથી ઊખેડી નાંખે છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા આત્મસન્મુખ જીવ જાણે છે તેથી તેને માટે તે અત્યંત પુરુષાર્થ કરે છે. સમ્યગ્દર્શન થતાં અનંત સંસારનો અંત આવી જાય છે. ૭. ધમ જીવ ચૈતન્ય સ્વાદના બળે સમસ્ત પરભાવોને જુદા જાણે છે; રાગનો અને જ્ઞાનનો સ્વાદ અત્યંત સ્પષ્ટ જુદો જણાય છે. આનંદ પર્યાય સહિતના દ્રવ્યમાં વ્યાપેલો આત્મા તે હું જ છું એમ ધર્મી જીવ અનુભવે છે. બધા વિકલ્પો તે અનુભૂતિથી દૂર રહી જાય છે. આત્મસન્મુખ જીવ ચૈતન્ય સ્વાદના અનુભવમાં રાગને ભેળવતો નથી, તે આત્માને સ્વરસમાં જ રાખવા માંગે છે અને પર્યાય પણ તેવી થઈને પરિણમી રહે છે. દ્રવ્ય અને પર્યાય બન્ને સ્વતંત્ર! સર્વ પ્રદેશે ચૈતન્ય પ્રકાશનો નિધાન છું એમ તે અનુભવે છે! ૮. આત્મભાવના ભાવતાં જીવ આવા ચૈતન્ય સ્વભાવને સ્વીકારતાં શ્રદ્ધા-જ્ઞાન તે હંમેશા રાગાદિ પરભાવોથી જુદા ને જુદા જ રહે છે. અને તે અંદરના આનંદ અને અનંત ગુણની નિર્મળ પરિણતિ સાથે એકરસે પરિણમે છે. અનંત ગુણના સ્વાદથી એકરસ ભરેલો ચૈતન્ય રસ ધર્મીને સ્વાદમાંશ્રદ્ધામાં-પ્રતીતિમાં-અનુભવમાં આવે છે. આવી આત્મભાવના રાગ-દ્વેષથી છૂટવા માટે અપૂર્વ ઔષધ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે!” ૯. દુઃખથી છૂટવા અને સુખ પામવા આત્મસ્વભાવની આરાધના એ મુમુક્ષુ જીવનું ધ્યેય છે. તે ધ્યેયની સફળતા માટે આરાધક -ધર્માત્માનો સત્સમાગમ કરીને તે પોતાની આત્માર્થીતાને પુષ્ટ કરે છે. આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. છતાં મુમુક્ષુને એની યોગ્યતા પ્રમાણે એવા જ્ઞાનીનો સમાગમ થાય જ છે. જ્ઞાનીના જ્ઞાન ભાવોની ઓળખાણ થતાં તે આત્માર્થી જીવના પરિણામ આત્મસ્વભાવ તરફ ઝૂકે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy