________________
૧૬૭
(૧) જઘન્ય
(૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ.
૪. જઘન્યઃ ૧) સત્સંગના યોગથી, સદ્ગુરુના અત્યંત - અતિશય પ્રભાવથી કે સત્શાસ્ત્રોના અવલોકનથી કાંઇક ધર્મ પ્રત્યે રુચિ ઉપજે.
૨) ધર્મ ખરેખર કરવા યોગ્ય છે એવી સામાન્ય માન્યતા થાય. જીવનમાં ધર્મનું મહત્વ સમજાય. ૩) મોક્ષના પુરુષાર્થમાં થોડો થોડો પણ જોડાય ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ થાય છે.
૫. મધ્યમ : ૧) ઉપરોક્ત દશામાં જ્યારે વિશેષ દૃઢતા આવે અને વિશેષ પ્રવૃત્તિ થાય.
૨) સમજણપૂર્વક જ્યારે સદ્ગુણોને વિષે રુચિ ઉપજે અને તેમનું ગ્રહણ થવા લાગે. ૩) સામાન્ય મુશ્કેલીઓ આવવા છતાં પણ ધર્મની આરાધનામાં જ લાગ્યો રહે.
૪) પરીક્ષા પ્રધાની થઈ સદ્ગુણ-દુર્ગુણ, સદાચાર-દુરાચાર, સદ્ગુરુ-નામગુરુ વગેરેના ભેદપૂર્વક મોક્ષની આરાધનામાં આગળ વધે ત્યારે મધ્યમ કક્ષાની મુમુક્ષુતા હોય છે.
૬. ઉત્કૃષ્ટ : ૧) અત્યંત દઢપણે જ્યારે આસ્તિક્યાદિ (આત્મા, ધર્મ, પુણ્ય-પાપ, પુનર્ભવ આદિ વિષયોમાં જેને શ્રદ્ધા હોય તેને આસ્તિક કહેવામાં આવે છે.) ભાવોમાં નિષ્ઠા થવાથી મુમુક્ષુતાના અનેક ગુણો પ્રકર્ષતાથી પ્રગટી વૃદ્ધિગત થતા જાય.
૨) આખો દિવસ-રાત જ્યારે પરમાર્થ...પરમાર્થનો જ અંતરમાં જાપ રહે.
૩) સૂક્ષ્મ બોધની અંતરમાં વિચાર કરવાની શક્તિ જાગૃત થવાથી સત્યાર્થ તત્ત્વોની પ્રતીતિ સ્પષ્ટપણે થઈ જાય.
૪) તેવી અનેક ગુણોથી ભરપૂર તીવ્ર જિજ્ઞાસુદશાને ઉત્કૃષ્ટ મુમુક્ષુદશા કહેવામાં આવે છે. મુમુક્ષુતાના ગુણો સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે.
૧. સ્વચ્છંદ નિરોધ
૫. સહનશીલતા
૨. શ્રદ્ધા
૬. વિશાળ બુદ્ધિ
૩. સરળતા
૭. વિનય
૪. વૈરાગ્ય
૮. જિતેન્દ્રિયપણું
૧૨. માધ્યસ્થભાવ.
૬. સમ્યક્ બોધ શ્રવણ થયા પછી મુમુક્ષુએ પોતાનામાં શું શું અવલોકન કરવું જોઈએ ?
૯. મૈત્રી
૧૦. પ્રમોદ.
૧૧. કરુણા
૧. સુખ-શાતામાં કેટલી ઉપેક્ષાવૃત્તિ, પ્રીતિ અથવા રસ પ્રવર્તે છે ? અથવા પહેલાંની અપેક્ષાએ કાંઈક ફરક દેખાય છે ? અર્થાત્ આવા પ્રસંગોમાં ઉદાસીનતા ઉત્પન્ન થાય છે ? આવી અપેક્ષાવૃત્તિ અને રસના કારણોને અને એ કારણના કારણોને સૂક્ષ્મતાથી તપાસવા જોઈએ.
૨. જ્યારે બીજા જીવના દોષ જાણવામાં આવે ત્યારે તેના પ્રત્યે તિરસ્કારવૃત્તિ સ્ફુરિત થાય છે કે નહિ?