________________
૧૫૯ ૨. ઉપદેશ રુચિઃ તીર્થકર, કેવળી, ભાવલિંગી સંતો કે સમ્યગ્દષ્ટિ ગુરુઓ વડે કહેવાયેલા અને તેમના
ઉપદેશ દ્વારા સાંભળેલા જીવાદિ તત્ત્વોમાં યથાર્થપણાની શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો
સમકિત જાણવો. ૩. આજ્ઞા રુચિઃ જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયા છે એવા જિનેશ્વરોની આજ્ઞાથી તત્ત્વ
ઉપર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞા રુચિવાળો સમકિત કહેવાય છે. ૪. સૂત્ર રુચિ સૂત્રોનો અભ્યાસ, મનન, નિદિધ્યાસથી ઉપજેલા જીવાદિ તત્ત્વોના જ્ઞાનથી તે તત્ત્વો પર
શ્રદ્ધા પ્રગટે તે સૂત્ર રુચિ સમ્યત્વ છે. ૫. બીજ રુચિ: જેમ પાણીમાં પડેલું તેલનું ટીપું એની મેળે ફેલાઈ જાય છે અને જેમ એક બીજ વાવવાથી
અનેક બીજ ઉત્પન્ન થાય છે તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણા હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમકિત પામે તેવા પુરુષને બીજરુચિ સમકિત જાણવો.
જીવાદિ કોઈ એક તત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તત્ત્વોમાં અને તેના અર્થોમાં ઉતરોત્તર શ્રદ્ધાનો વિસ્તાર થાય તે બીજરુચિ સમકિત છે.
બીજ જે ગણિતજ્ઞાનનું કારણ છે એવી શ્રદ્ધારૂપ પરિણતિ જેને - એવા કરણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજ દષ્ટિ થાય છે - તેને બીજ સમત્વ જાણવું. ૬. અભિગમ રુચિ: સર્વ આગમસૂત્રોના અર્થો વિષે રુચિ તે અભિગમ રુચિ કહેવાય છે એટલે કે સકળ
આગમસૂત્રોના અર્થોના જ્ઞાનની અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને અભિગમ રુચિ સમ્યકત્વ કહે છે. અર્થજ્ઞાનથી બોધમાં વિશેષ શુદ્ધિ થાય છે માટે સૂત્રજ્ઞાન કરતાં અર્થજ્ઞાન માટે વિશેષ ઉદ્યમ કરવો
જોઈએ. ૭. વિસ્તાર રુચિ: પ્રત્યક્ષ આદિ સર્વ પ્રમાણો, નયો અને નિક્ષેપાદિપૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવો
એટલે ગુણ-પર્યાયોનું જે જ્ઞાન તેના દ્વારા પ્રગટ થયેલી અતિ વિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તાર રુચિ સમ્યત્વ
કહેવાય છે. ૮. સંક્ષેપ રુચિ: જે જીવ બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનમાં સપડાયો નથી કે તેમાં તેનો આગ્રહ નથી
તેમજ જૈન દર્શન પણ યથાર્થ સમજ્યો નથી, વિશેષ ભણેલો નથી પણ તેને વીતરાગ માર્ગની શુદ્ધ શ્રદ્ધા છે તે આત્માની મોક્ષમાં રુચિ તે સંક્ષેપ રુચિ સમ્યકત્વ છે.
પદાર્થોના સંક્ષેપ પણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભણી સંક્ષેપદષ્ટિ છે અને તેને સંક્ષેપ સમ્યકત્વ જાણવું. ૯. ક્રિયા રુચિઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારને આચરવાની તેમજ વિનય-વૈયાવચ્છ આદિ
અનુષ્ઠાન કરવાની રુચિ તે ક્રિયા રુચિ સમ્યકત્વ છે. ૧૦. ધર્મ રુચિઃ માત્ર વીતરાગના ધર્મ શબ્દને સાંભળીને જે તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દથી