________________
૧૫૮
૪. નિર્મળતાની અપેક્ષાએ સમ્યક્ત્વના ચાર ભેદ : સમ્યક્ત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે(પાંચ ભેદ પાડવામાં આવે છે. ૨) નિર્મળ ૩) ગાઢ ૪) અવગાઢ
૧) સમલ અગાઢ
૫) પરમ અવગાઢ.
૧. સમલ અગાઢ : વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે.
૨. નિર્મળ ઃ ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે.
3.
ગાઢ : ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે.
૪.
અવગાઢ : અંગ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાહન વડે નીપજેલી દૃષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે.
૫. પરમ અવગાઢ : પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યક્ત્વ કહે છે.
જે છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર ૪ પ્રતીતિ હોય છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટતાં જે આત્મસ્વરૂપ નિર્ણીત કર્યું હતું તે જ કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય તેવું જ કેવળી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે. એટલે કે મૂળભૂત જીવાદિના શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય તેવું જ કેવળીને પણ હોય છે. ૫. નિમિત્તાદિની અપેક્ષાએ સમ્યક્ત્વના ભેદ :
સમ્યગ્દર્શનના ભેદો નિમિત્તાદિની અપેક્ષાએ દશ પ્રકારના કહેવામાં આવ્યા છે. તેમાં આઠ ભેદ સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં જે નિમિત્તો હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કહ્યા છે, અને બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહ્યા છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને કેવળી ભગવાનને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે; આ રીતે આઠ મેદ નિમિત્તોની અપેક્ષાએ અને બે ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે. ‘દર્શન’ની પોતાની અપેક્ષાએ તે ભેદો નથી. તે દશે પ્રકારમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે - એમ જાણવું.
૧. નિસર્ગ રુચિ : જીવ-અજીવાદિ નવ તત્ત્વોનો કોઈના ઉપદેશ વિના જ આત્માને દર્શન મોહનીયનો ક્ષયો પશમ થવાથી અથવા જાતિસ્મરણ જ્ઞાન થવાથી આત્માને યથાર્થ રીતે જાણ્યા પછી તેના પર શ્રદ્ધા થાય તે નિસર્ગ રુચિ કહેવાય છે.
નિગ્રંથમાર્ગના અવલોકનથી જે તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે માર્ગ સમ્યક્ત્વ છે.
જે પુરુષ જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણ જ્ઞાનાદિ નિમિત્તથી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે તે નિસર્ગ રુચિવાળો સમકિત જાણવો.