________________
૧૪૬
સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયક દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું ય વ્યવહાર સમકિત છે. એમ વ્યવહાર નય સમકિતના અનેક ભેદ પાડે છે. શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને
નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. ૬૬ નવે તવંમાં નિમિત્તની અપેક્ષા આવે છે તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયકભાવ જે પૂર્ણ જ્ઞાનઘન છે
એની દષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. ૬૭ આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંત ગુણો, તેની અનંત પર્યાયો અને
લોકાલોકને જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞ શક્તિ જેને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમના કાર દિવ્ય ધ્વનિમાં આવ્યું, તે આત્મા કેવો છે? તે પૂર્ણ જ્ઞાનઘન છે. એવા પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્યગ્દર્શન જીવે અનાદિથી અનંતકાળમાં પ્રગટ કર્યું નથી. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે એવું જે શરીરાદિથી
ભિન્ન, કર્મથી ભિન્ન, રાગાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનઘન એના શ્રદ્ધાનની વાત છે. ૬૮ અહાહા..! જેને જાણે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અક્ષય અતીન્દ્રિય આનંદની
પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય? બાપુ! એ સાધારણ ન હોય. એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ
જ્ઞાયક વસ્તુમાં દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. તે નિશ્ચય છે. ૬૯ આ નવ તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવ તત્ત્વોમાં સત્ દૃષ્ટિથી - દ્રવ્ય દષ્ટિથી જોતાં
જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જ જીવ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. એ અંકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ શુદ્ધ' આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે
આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ છે સમ્યગ્દન છે. ૭૦ જ્ઞાયક ધુવ ચૈતન્યપ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે.
એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જેરાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વોમાંથી એકલો જાણક...જાણક...જાણક એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે.
આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવ-ગુરુ-શાસ્ત્રને બહારથી માને કે નવ તત્ત્વને ભેદરૂપ માને એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી. ૭૧ એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને શરીરનું સાચું પડોશીપણું
થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૭૨. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ તે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય