SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ છું...! ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું...! વગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એ જ લાગે કે આ હું.આ હું..એમ ઘોલન ચાલતાં ચાલતાં લાગે. પછી એ વિકલ્પ પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આવું જ લક્ષ ચાલ્યા કરતું હોય. આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય...! આ વિચારો ચાલતાં ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચાર ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે...વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? અભ્યાસ વારંવાર જોઈએ. ૩૫ ભાઈ! એકવાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે. જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે ! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો..હવે મારું શું થશે! એમ ડરનહિ, મુંઝાનહિ, હતાશ થાનહિ...! એકવાર સ્વભાવનો ઉત્સાહલાવ..સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. સ્વભાવના મહિમાથી મિથ્યાત્વ મળે છે. સ્વભાવના અનુભવથી મિથ્યાત્વ ટળે છે. ૩૬ ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર એને ખ્યાલમાં આવ્યું હોય તે, એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલા છે તે પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર જે થાકી ગયો છે એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજું કાંઈ મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય આત્માના કર્યા વિના ક્રમબદ્ધ સ્વયં થાય છે એમ એને બેસી ગયું છે. તે જ્ઞાતા થઈ જાય છે. ૩૭ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં કમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે, ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદઆવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વશે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૩૮ જેમ કૂતરાંને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ જ્યા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ થયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજા ધૂન તો અનંતકાળથી ચડી ગયેલ છે તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કર તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. ૩૯ વારંવાર...આ નિર્વિકલ્પ આત્મા...નિર્વિકલ્પ આત્મા...એમ વારંવાર સાંભળે છે એનો અર્થ જ એ કે ઈ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy