________________
૧૪૨ એને રુચે છે. અંદરમાં વિપરીત માન્યતા ઉપર ઘણ પડે છે સંસ્કારના, ઈ નિર્વિકલ્પ થશે જ, શાસ્ત્રમાં કહ્યું
છે ને ! -કે સમ્યગ્દર્શનના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. ૪૦ જૈનદર્શનના મૂળ સિદ્ધાંત
૧. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ૨. દરેક વ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. ૩. પરદ્રવ્યની સામે જોતા રાગ જ થાય. ૪. પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં
રાગ ૮૪ થાય. આ ચાર બોલનો સાર : પંચમ પારિણામિક ભાવનો આશ્રય કરવાથી જ ધર્મ-વીતરાગતા-સમ્યગ્દર્શન થાય. ૪૧ આત્મા અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા
એમ અનંત અનંત ભાવ સ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો
આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૪૨ વસ્તુસ્વભાવની દષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર : એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીયે પ્રમત્ત - અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનમાં ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ
વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી પણ દ્રવ્યદષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. ૪૩ દષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં “શુદ્ધ'
જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ! આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે, પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ
એ છે કે દષ્ટિ જ્યારે “શુદ્ધ'ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. ૪૪ ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા
નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. ૪૫ નિશ્ચય સમ્યક સ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. સમગ્દર્શન તો પ્રતીતિરૂપ છે.
એની સાથે દેવ ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે
તો રાગ, ચારિત્રગુણની પર્યાય છે, કાંઈ સમકિતની પર્યાય નથી. ૪૬ સમ્યગ્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે.
સમ્યગ્દર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ-શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે.