SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અને તું સમજીશ માટે કહીએ છીએ એમ જ્ઞાની કહે છે, ત્યારે આ જીવ બહુ લાયક નથી, મને આ ન સમજાય એવી રીતે જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરીને સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી. ભૂલ રવભાવમાં નથી, માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે. તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે બીજે રામયે નવી કરે તો થાય છે. પહેલાં સમયની ભૂલ તો બીજા સમયે નાશ પામી જાય છે. ૨૯ એક વાર સત ચરણે ઝૂકાઈ જા ! સાચા દેવ-ગુરુની અર્પણતા વગર આત્માનો ઉદ્ધાર થાય નહિ. પરંતુ તેનો જ આશ્રય માની બેસે તો પણ તે પરાશ્રયે આત્માનો ઉદ્ધાર થાય નહિ. આ રીતે પરમાર્થ સ્વરૂપમાં તો ભગવાન આત્મા એકલો જ છે. પરંતુ તે પરમાર્થ સ્વરૂપને પહોંચી ન શકે ત્યાં, પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રને સ્વરૂપના આંગણામાં પધરાવવા તે વ્યવહાર છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, પૂજા વગર એકલા નિશ્ચયની માત્ર વાતો કરનાર શુષ્કજ્ઞાની છે. ૩૦ ખરેખર, આ તત્ત્વબોધિ દુર્લભ છે. સાચી સમજણ માટે પહેલે જ ધડાકે સત્નો હકાર આવવો જોઈએ. મુખ્ય ગતિ બે છે. એક નિગોદ, બીજી સિદ્ધ. સની જો ના પાડી તો કદાચિત એકાદભવ બીજો કરીને પણ નિગોદમાં જ જાય. સતુના વિરોધનું ફળ નિગોદ જ છે. એક વાર પણ સત્નો અંતરથી યથાર્થ હકાર આવ્યો તો તેની મુક્તિ જ છે. હકારનું ફળ સિદ્ધ, નકારનું ફળ નિગોદ. આ જે કહેવાય છે તે ત્રિકાળ પરમ સત્ય છે, ત્રણ કાળ ત્રણ લોકમાં સત્ જોઈતું હોય તો જગતને આ માન્ચે જ છૂટકો છે. સત્ ફરે તેમ નથી, સમજવા માટે તારે ફરવું પડશે. સિદ્ધ થવા માટે સિદ્ધ સ્વરૂપનો હકાર લાવો. ૩૧ જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જકતૃત્વ બુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૩૨ પ્રઃ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ અને દરેક દ્રવ્યની પર્યાય કમબદ્ધ જ થાય એ ઉપર આપ બહુ ભાર આપો છો તો એ સમ્યગ્દર્શનનું કારણ છે? ઉ. હા, એ તો મૂળ ચીજ છે. આ બે વાતનો નિર્ણય થતાં દષ્ટિ દ્રવ્ય ઉપર વળે છે. ૩૩ એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાની ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું છે? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા ક્યારે થાય? કે એનું લક્ષ અને દષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા અને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ અને તાત્પર્ય છે. આહાહા! વીતરાગની વાણી ! ચારે કોરથી એક સત્ જ ઊભું થાય છે. ૩૪ આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો? પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના અદ્ધરથી જ ચાલે કે હું આવો
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy