________________
(૧૩)
૧૪. દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે.
દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ - અનંત ગુણવાળો સ્વભાવનો પિંડ.
ક્ષેત્ર
કાળ
ભાવ
I આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાં નથી. આવું વસ્તુસ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જો નિમિત્ત ભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છં અને પરના કાર્ય માટે તદ્ન પાંગળો છે, અકિંચિત્કર છે. આવી દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો અનંત તીર્થંકરોએ પીટ્યો છે.
.
એટલે એના પ્રદેશો - અસંખ્ય પ્રદેશો
એટલે વર્તમાન કાળ
એટલે ત્રિકાળી શક્તિ
૧૫. અહા ! આત્મા જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે પોતાથી થાય છે. તેમાં સંઘયણ અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળજ્ઞાન થતું નથી. કેવળજ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટ્યા કરે છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અનંત ગુણ રસથી ભરેલું છે. અહા ! આવા નિજરસથી - ચૈતન્યરસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે - એનું નામ ધર્મ છે. અને તે એક જ આ ભવમાં કરવા જેવું છે. બાકી બધું ધૂળધાણી ને વા-પાણી છે.
ભાઈ ! જેને આ વાત અંતરમાં બેસી જાય તેનું પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્તાધીન દૃષ્ટિ ઉડી જાય છે અને સ્વાધીનતાના - સ્વસન્મુખતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે; અને આ મનુષ્યભવમાં આ જ ર્તવ્ય છે.
૧૬. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું તથા કહેવું તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.
૧૭. આત્મચિંતનપૂર્વક લખેલા પાંચ બોલ :
૧) પર, પારિણામિકભાવ છું.
૨) કારાણ પરમાત્મા છું.
૩) કારણ જીવ છું.
આવા આત્માને જે દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે.
૪) શુદ્ધ ઉપયોગોઢું
૫) નિર્વિકલ્પોહું.