________________
(૧૪) ૧૮. સિદ્ધ છે તે જાણનાર દેખનાર છે. તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા-પૂરાનો પ્રશ્ન જ
નથી. જાણનાર - દેખનારથી જરાક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડ્યો તે મિથ્યાષ્ટિ છે તે યથાર્થ વાત છે.
જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જેનહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનારદેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા દેખવાવાળો છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો
નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૯. આબાળ ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી
આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી તેથી જાણનારો જણાય છે એ બેસતું નથી. અરે ભાઈ! તું વિચાર તો કર તું કોણ છો? તું જ્ઞાયક સ્વરૂપ છો. તું કરનાર નહિ- જાણનાર છો - આ
શ્રદ્ધાનું નામ જ સમ્યગ્દર્શન છે. ૨૦. સર્વ જીવો સાધર્મી છે, કોઈ વિરોધી નથી. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જવો અપૂર્ણન
રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાય ! અને સુખી થાય ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધી જીવો જેવા સ્વભાવમાં પૂર્ણાનંદરૂપ પ્રભુ છે તેવી શ્રદ્ધા કરીને પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ!