SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ૬. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી; માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો, આત્મભાવની સાચી સમજણનો પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે. સ્વભાવની હોશથી જે સમજવા માંગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. શ્રી પદ્મનંદી આચાર્યદેવે તો કહ્યું છે કે આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૭. આત્માનો સ્વભાવ સમજવાનો પંથ સીધો - સરળ છે. સાચો માર્ગ જાણીને ધીમે ધીમે ચલવા માંડે તો પણ માર્ગ કપાય, પરંતુ માર્ગ જાણ્યા વગર આંખે પાટા બાંધીને ઘાંચીના બળદની જેમ ગમે તેટલું ચાલે તો પણ ફરી ફરીને હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહે. તેમ સ્વભાવનો સરળ માર્ગ છે તે જાણ્યા વિના જ્ઞાનચક્ષુઓ બંધ કરીને ગમે તે આડું અવળું કર્યા કરે અને મેં ઘણું કર્યું એમ માને, પણ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ! તેં કાંઈ નથી કર્યું, તું સંસારમાં ને સંસારમાં જ ઊભો છે, જરાય આગળ વધ્યો નથી. વિકાર રહિત તારા જ્ઞાન સ્વરૂપને તેં જાણ્યું નથી એટલે તારું ગાડું દોડાવીને બહુ તો અશુભમાંથી શુભ કરીને તેમાં તું ધર્મ માની લે છે, પરંતુ એ તો ફરી ફરીને પાછો ત્યાં ને ત્યાં વિકારમાં જ ઊભો રહ્યો; વિકારચક્રમાં આંટ માર્યા પરંતુ વિકારથી છૂટીને જ્ઞાનમાં આવ્યો નહિ તો તે શું કર્યું ? ૮. જ્ઞાન વગર ગમે તેટલો રાગ ઘટાડે કે ત્યાગ કરે પરંતુ સાચી સમજણ વગર તેને સમ્યગ્દર્શન તો થશે નહિ અને મુક્તિમાર્ગ તરફ તો નહિ જાય પરંતુ વિકારમાં અને જડની ક્રિયામાં કર્તૃત્વનો અહંકાર કરીને સંસારમાર્ગમાં દુગર્તિમાં ધસી પડશે. સાચા જ્ઞાન વગર કોઈ પણ રીતે આત્માની મુક્ત દશાનો માર્ગ હાથ આવે નહિ. જેમણે આત્મભાન કર્યું તેઓ ત્યાગ કે વ્રત કર્યા વગર પણ એકાવતારી થઈ ગયા. ૯. આત્માના સ્વભાવનો માર્ગ સરળ હોવા છતાં કેમ નથી સમજાતો ? તેનું કારણ એ છે કે અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, ભ્રમ છે, ગાંડપણ છે. જેને અંતરમાં રાગ રહિત સ્વભાવની દૃષ્ટિનું જોર છે તે આત્માના અનુભવની સાચી પ્રતીતને લીધે એકાદ ભવે મોક્ષ જ. અને જેને આત્માની સાચી પ્રતીત નથી એવો અજ્ઞાની છ છ માસ તપ કરીને મરી જાય તો ય આત્માના ભાન વગર એક પણ ભવ નહિ ઘટે કેમ કે તેને આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ જ સંસારનું મૂળ છે. ૧૦ અજ્ઞાનીનો તે વ્યામોહ કોઈ રીતે છેદી શકાય કે નહિ ? હા, પ્રજ્ઞારૂપી છીણી વડે તે જરૂર છેદી શકાય છે. જેમ અંધકાર ટાળવાનો ઉપાય પ્રકાશ જ છે તેમ અજ્ઞાન ટાળવાનો ઉપાય સભ્યજ્ઞાન જ છે. વ્યામોહ એટલે અજ્ઞાન અને પ્રજ્ઞાછીણીનો અર્થ સમ્યાન છે. હજારો ઉપવાસ કરવા, લાખો રૂપિયાનું દાન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy