SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કરવું, અનેકવાર તીર્થોની જાત્રા કરવી, દરરોજ પૂજા-ભક્તિ કરવા એ કોઈ ઉપાય આત્મા સંબંધી અજ્ઞાન ટાળવાના મ ટેના નથી પણ આત્મા અને રાગના જુદાપણાનું સમ્યજ્ઞાન તે જ એકમાત્રવ્યામોહછેદવાનો ઉપાય છે. આ જ ઉપાયથી વ્યામોહ છેદીને આત્મા મુક્તિના પંથે પ્રયાણ કરે છે એમ જ્ઞાનીઓ જાણે છે. ૧૧ પ્રજ્ઞાછીણી કેવી રીતે પ્રગટ થાય અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટે ? જ્ઞાન માટે કંઈક બીજા સાધનની જરૂર પડતી હશે ને? તો કહે છે કે ના ! જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ છે. જ્ઞાનનો અભ્યાસ તે જ પ્રજ્ઞાછીણી પ્રગટવાનું કારણ છે. ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસ, ત્યાગ વગેરેનો શુભ રાગ તે પ્રજ્ઞાનો ઉપાય નથી. સ્વભાવની ચિપૂર્વક સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે. ૧૨ કોઈ પણ રીતે - હે ભાઈ ! તું કોઈ પણ રીતે - મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતુહલી થા! તેમ અહીંપણ કહે છે કે કોઈ પણ રીતે, આખા જગતની દરકાર છોડી દઈને પણ સમ્યજ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણીને આત્મા અને બંધ વચ્ચે પટકવી. કોઈ પણ રીતે કહેતાં કર્મ વગેરે નડે એ વાત ઉડાડી દીધી. કોઈ પણ રીતે એટલે તું તારામાં પુરુષાર્થ કરીને પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કર. શરીરનું ગમે તેમ થાય પણ આત્મા જ પ્રાપ્ત કરવો છે એ જ એક કર્તવ્ય છે એમ તીવ્ર ઝંખના અને રુચિ કરીને સમ્યજ્ઞાન કર. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો તેમાં કેટલી એકાગ્રતા જોઈએ ? વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, ત્યાં એક સેકંડ માત્રનો પ્રમાદ ન કરે, તેમ ચૈતન્યમાં સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવવા માટે ચૈતન્યની એકાગ્રતા અને ઝંખના જોઈએ. અહો! અનંતકાળે આ ચૈતન્ય ભગવાનને ઓળખવાના ટાણાં મળ્યા છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો કયાંય આરો નથી. માટે અત્યારે જ કોઈ પણ પ્રકારે આત્મભાન કરવું છે એમ સ્વભાવની રુચિ પ્રગટ કરતાં વિકારનો મહિમા ટળે છે. આ વિકાર તે મારા ચૈતન્યની શોભા નથી પણ કલંક છે. મારું ચૈતન્યતત્ત્વ તેનાથી ભિન્ન અસંગી છે. આ પ્રમાણે નિરંતર સ્વભાવની રુચિ અને પુરુષાર્થના અભ્યાસ વડે પ્રજ્ઞાછીણી પટકવી. ૧૩ 'પ્રજ્ઞાછીણી પકવી” એટલે શું? એટલે કે સમ્યજ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું. આ ચૈતન્યસ્વરૂપ હું આત્મા અને આ પર તરફ જતી લાગણી તે રાગ - એમ આત્મા અને બંધની જુદાપણાની સંધિ જાણીને અર્થાત્ બન્નેના જુદા જુદા લક્ષણ દ્વારા તેમને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાનને ચૈતન્યસ્વભાવી આત્મામાં એકાગ્ર કરતા રાગનું લક્ષ છૂટી જાય છે - તે જ પ્રજ્ઞાછીણીનું પટકવું છે. ૧૪ પ્રજ્ઞાછીણી પડે છે એ સંબંધી અહીંક્રમથી વાત કરી છે, સમજાવવા માટે ક્રમથી કથન કર્યું છે પરંતુ ખરેખર અંતરમાં ક્રમ પડતા નથી, પણ એક સાથે જ વિકલ્પ તૂટીને જ્ઞાન સ્વમાં એકાગ્ર થાય છે. જે સમયે જ્ઞાન સ્વમાં એકાગ્ર થયું તે જ સમયે રાગથી જુદું પડ્યું. પરંતુ પહેલા જ્ઞાન સ્વમાં ઢળ્યું અને પછી રાગ જુદો પડ્યો - એમ ક્રમ પડતા નથી. ૧૫ પ્ર, આ રામજવું અઘરું લાગે છે, આ સિવાય બીજો કોઈ માર્ગ છે? ઉ.: અરે ભાઈ! બહારમાં તો મોટા પગાર અને ઘણી બુદ્ધિ ચલાવે છે, ત્યાં બધું ય સમજાય છે અને બુદ્ધિ ચાલે છે અને આ પોતાના આત્માની વાત સમજવામાં બુદ્ધિ ન ચાલે એ કેમ બને? પોતાને આત્માની
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy