________________
૧૩૧
સુખી થવાનો એક જ ઉપાય છે, ‘પોતે જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે અને સર્વથા સર્વથી ભિન્ન છે” એનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ એ જ નિશ્ચય રત્નત્રય મોકામાર્ગ છે. ૪૬. સ્વછંદઃ “સ્વચ્છેદ' એટલે શું ? “સ્વ” એટલે પોતે, આપ અને છંદ' એટલે લત અગર વ્યસન.
‘સ્વચ્છેદ' એટલે પોતાની લત, પોતાનું વ્યસન, પોતાની ટેવ. આમ આ શબ્દમાં અભાવ, માનભાવ રહ્યા છે, તે બન્ને જીવના કટ્ટર વેરી છે.
જીવનું સ્વચ્છંદીપણુંઃ નિર્દોષ સન્દુરુષો અને જ્ઞાનીઓએ સ્વાનુભવથી વસ્તુનું સ્વરૂપ જે પ્રકારે દર્શાવ્યું છે, તે તે પ્રકારે તેમ જ છે અને એમ ન માનતાં પોતાની મતિ કલ્પનાએ જેમ જણાય તેમ માનવું તે સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે દર્શનમોહ, મિથ્યા અભિપ્રાય, ખોટી શ્રદ્ધા, વિપરીત માન્યતા.
જડ અને ચેતન ભિન્ન ભિન્ન છે; જડ જડભાવે અને ચેતન ચેતનભાવે પરિણમે છે; એક દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા કરી શકતું નથી; છતાં જીવ માને છે કે હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, પરને લાભ-નુકસાન કરી શકું છું.’ આ માન્યતા જ્ઞાનીની આજ્ઞાની વિરુદ્ધ છે અને તેનું નામ જ સ્વચ્છંદ.
આમ જ્ઞાનીની ટંકોત્કીર્ણ વચનો પર અભિમાનથી પગ દઈને કચરીને ચાલવાની, વર્તવાની જીવની અનાદિકાળની લત, અનંતકાળનું વ્યસન છે તે સ્વચ્છંદ. હું જાણું છું, મને આવડે છે, હું આ કરી શકું છું, મને યથાર્થ ભાન છે અને જ્ઞાન છે એમ માનવું તે સ્વછંદ.
‘પરની પ્રીતિ તોડી સ્વમાં જોડવી તે સુખનો માર્ગ છે એમ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા ન લાવતાં એનાથી વિરુદ્ધ પરથી સુખ મળે છે (પર એટલે પરપદાર્થો, બીજી વ્યક્તિઓ અને જડ દેહ) એવી અનાદિકાળની માન્યતા, લત અથવા મિથ્યા અભિપ્રાય તે સ્વચ્છંદ. દેહ તે હું, દેહન ધર્મ તે મારા, દેહની પ્રવૃત્તિ તે મારી એ આદિ માન્યતા અર્થાત્ તેવા પરિણામ તે જીવનો સ્વછંદ.
અનાદિકાળથી જીવે સ્વચ્છંદ, મત, આગ્રહ, મિથ્યાભાવનું સેવન કરી કષાય ભાવનું પોષણ કર્યું છે. ટૂંકમાં જીવને સ્વચ્છેદે ચારે બાજુથી ઘેરી લીધો છે. પછી તે પદાર્થ સંબંધી, સંબંધથી જોડાયેલ વ્યક્તિઓ સંબંધી, શરીર સંબંધી, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી, પોતાના સ્વરૂપ સંબંધી મિથ્યા અભિપ્રાયની ભૂલ અનાદિથી ચાલી આવે છે. જ્યાં મૂળમાં જ ભૂલ હોય ત્યારે અનેક ભૂલોની પરંપરા ચાલી આવવાની જ. મતાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, વિગ્રહ, સંગ્રહ, પરિગ્રહ બધા જ સ્વછંદના પરિણામ છે.
આ જીવે તો પૂર્વ કાળે આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. તે પોતાની મતિ કલ્પનાથી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. આવું તો અનંતકાળથી કરતો જ આવ્યો છે. ઊલટું આત્માર્થ સાધુ છું, ધર્મ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય અને એના ફળની અપેક્ષા રહી જાય કે જીવન માટે સંસારનો મુખ્ય હેતુ છે, દુઃખનું મુખ્ય કારણ છે. દુઃખના કારણોમાં જ્ઞાનીઓએ આ ત્રણ મુખ્ય જોયા છે. (૧) અજ્ઞાનતા (૨) મિથ્યાત્વ (૩) અસંયમ.
વળી જીવ પોતાની કલ્પનાથી માની લે કે વ્રત, તપ, જપ, પૂજા, ભક્તિ, યોગ, ધ્યાન,