________________
૧૩૦ ૧૭) આત્મા અને કર્મપુદ્ગલ પરમાણુ વચ્ચે એક એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. જો કર્તા-કર્મ સંબંધ સ્થાપવામાં આવે તો બેઉ દ્રવ્યના લોપ(નાશ)નો પ્રસંગ ઉત્પન્ન થાય. જેમ શરીર અને આત્મા ભિન્ન છે તેમ કર્મ અને આત્મા પણ ભિન્ન છે અને એ બન્ને વચ્ચે કોઈ કર્તા-કર્મ સંબંધ માનવો એ મિથ્યાત્વ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનવામાં કોઈ બાધા નથી. ૧૮) હવે આસવ, બંધ, સંવર અને મોક્ષના બે સ્વરૂપ છે. જેવી રીતે દ્રવ્યબંધ, ભાવબંધ.....બધે એ પ્રમાણે લગાડવું.
જે કર્મના પુદ્ગલ પરમાણુઓ આત્માના પ્રદેશો આગળ આવે અને બીજા કર્મ પુદ્ગલ પરમાણુ સાથે બંધાય તે દ્રવ્યકર્મ છે. અને અહીંયા જે આત્માની (જીવની) પર્યાયમાં રાગાદિક ભાવો થાય છે તેને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્ને સ્વતંત્ર છે. ૧૯) હવે વસ્તુસ્થિતિ એમ છે કે દ્રવ્યકર્મ અને આત્મા બન્ને સ્વતંત્ર દ્રવ્ય પોતાની ક્રિયાવર્તી શક્તિથી ગમન કરે છે અને સ્થિર થાય છે તેમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય નિમિત્ત છે એટલે આત્મા જડકને ખેંચીને લાવતું નથી તેમજ જડ કર્મો કાંઈ આત્માને સુખ-દુઃખ પહોંચાડતા નથી. બન્ને સ્વતંત્ર રીતે ક્ષેત્રાંતર કરી રહ્યા છે અને અમુક કાળ સુધી એમને એકક્ષેત્રાવગાહ રહેવાનો કાળ હોય છે તેટલો કાળ સાથે રહે છે એટલે એક ક્ષેત્રે રહે છે, પણ કોઈ કોઈને કાંઈ કરતું નથી. સંસાર અવસ્થામાં કાર્પણ શરીર આત્માની સાથે રહે છે એમાં કોઈ બાધા નથી અને જ્યારે મોક્ષ થાય છે ત્યારે સ્વયં કાર્પણ વર્ગણાઓ ખરી જાય છે. ૨૦) આત્મા અને દ્રવ્યકર્મ બન્ને પોતાની ભાવશક્તિને લીધે પરિણમન કરી રહ્યા છે અને તે પણ સ્વતંત્ર, ક્રમબદ્ધ અને પોતપોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે હોય છે. એટલે એકબીજાના પરિણમનમાં પણ કોઈ એકબીજાને કાંઈ કરી શકે એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. આ સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થામાં ફેરફાર કરવાની કોઈની શક્તિ નથી. માટે જેમ છે તેમ બન્નેનું સ્વરૂપ સમજી સમ્યગ્દષ્ટિ થવું. ૨૧) હવે જીવ જે અજ્ઞાનતા, મિથ્યાત્વ અને અસંયમને લીધે પોતાના ભાવ બગાડે છે તે જ દુઃખનું કારણ છે. પણ કર્મ કાંઈ દુઃખનું કારણ નથી. ૨૨) વ્યવહારથી એમ કહેવાય કે કર્મબંધન એ સંસાર દુઃખનું કારણ છે પણ નિશ્ચયથી જીવની પોતાની અજ્ઞાનતા, મિથ્યા માન્યતા અને અવિરતી એ જ દુઃખના કારણ છે. ૨૩) આ સંપૂર્ણ જીવના સ્વરૂપની સમજણની ભૂલ છે. જો જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય અને કર્મના સ્વરૂપની પણ યથાર્થ સમજણ થાય તો મિથ્યાદર્શન ટળી અને સમ્યગ્દર્શન પ્રગટે. ૨૪) હકીકતે જીવ કોઈ દિવસ પોતાનો જ્ઞાતા સ્વભાવ - પોતાનો જાણવાનો સ્વભાવ છોડી બીજું કાર્ય કરવા ગયો નથી, જઈ શકે એમ નથી - છતાં પોતે એવો જ્ઞાતા છે, પોતે જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ માનતો નથી એ જ એના દુઃખનું, અનંત સંસારનું કારણ છે.