SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૯ ૧૨) દ્રવ્યકર્મ અને ભાવકર્મ સંબંધઃ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલ દ્રવ્યોથી નપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ જોધાદિરૂપી જીવના પરિણામ છે તે અશુદ્ધભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તે નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવક અને ભાવકર્મથી દ્રવ્યકર્મ – એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્ય ભાવ વડે સંસારચક્રમાં પરિભ્રમા થાય છે. વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત સુખ-દુઃખનું કારણ છે માટે શરીરને નોકર્મ કહીએ છીએ. હવે આ કર્મબંધન રોગના નિમિત્તથી જીવની જ્ઞાન-દર્શનાવરણ, મિથ્યાત્વરૂપ, અંતરાયરૂપ તેમજ વેદનીય કર્મોજન્ય, આયુકર્મોજન્ય, નામકર્મોદયજન્ય તથા ગોત્રકર્મોદયજન્ય એમ જુદી જુદી અવસ્થાઓ થાય છે અને મોહના ઉદયથી આત્મા સુખી-દુઃખી થાય છે. આ રીતે વ્યવહારથી કર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. હવે વસ્તુસ્વભાવથી આ વાત સમજીએ. (નિશ્ચયથી) ૧૩) આત્મા એક જીવ દ્રવ્ય છે. ચૈતન્ય ગુણ સહિત છે અને સુખ-દુઃખનો અનુભવ કરે છે. એ સ્વતંત્રદ્રવ્ય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વભાવથી હંમેશા પોતાના ગુણોને ટકાવી તેનું પરિણમન થઈ રહ્યું છે. અને એ પરિણમન પણ ક્રમબદ્ધ છે, તે સમયે જે પર્યાયની ઉપાદાનની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. ૧૪) આ બાજુ કર્મના પુગલ પરમાણુ એ અજીવ દ્રવ્ય છે, ચૈતન્ય ગુણ રહિત છે, જડ છે. એ પણ સ્વતંત્ર દ્રવ્ય છે અને એનો પણ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વભાવ હોવાથી એના મુખ્ય ગુણો રસ, રંગ, ગંધ, વર્ણ અને સ્પર્શની પર્યાયો ક્રમબદ્ધ તે સમયની તેમની યોગ્યતા પ્રમાણે થઈ રહી છે. ૧૫) હવે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. તો પછી અજીવ દ્રવ્યરૂપ કર્મો, જીવને કઈ રીતે સુખ-દુઃખ આપી શકે અથવા તો જીવ દ્રવ્ય પોતાનો જ્ઞાતા સ્વભાવ છોડીને કેવી રીતે કર્મોને ગ્રહણ કરે કે છોડે? વસ્તુવ્યવસ્થાની એવી મર્યાદા છે કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ રહીને પોતાનું કાર્ય કરે છે. માટે એક દ્રવ્ય બીજાં દ્રવ્યનું કાંઈ કરી ન શકે એ શ્રદ્ધાન કરવું. ૧૬) હવે કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય ભેગાં હોય ત્યારે જ થાય. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ (૫) પુરુષાર્થ. તો જ્યારે કાંઈ પણ કાર્ય થતું હોય ત્યાં જેમની હાજરી હોય પણ જે ક્રિયામાં કાંઈ કરતું ન હોય તેના પર નિમિત્તનો આરોપ આવે છે એ નિયમથી આત્માનું જે ક્ષેત્રમાં કાર્ય થઈ રહ્યું છે ત્યાં કર્મના પુગલ પરમાણુઓની હાજરી છે એટલે તેમના પર નિમિત્તનો આરોપ આવે છે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy