SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ૨) કર્મબંધન હોવાથી અનેક પ્રકારના ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસાર અવસ્થા છે. અનંતા જીવ દ્રવ્યો અનાદિથી જ સંસાર અવસ્થામાં કર્મબંધન સહિત છે. સર્વ કર્મનો ક્ષય થવ થી મોક્ષ અવસ્થા ઉત્પન્ન થાય છે. ૩) સંસારમાં એક જીવ દ્રવ્ય અને અનંતા કર્મરૂપ પુદ્ગલ પરમાણુ એ બન્ને અનાદિકાળથી એક બંધાનરૂપ છે. તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા મળે છે. એ પ્રમાણે મળવું-વિખરાવું થયા કરે છે. ૪)જેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને માટીનો, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિસંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ જીવ અને કર્મ સંબંધ અનાદિથી જાણવો. ૫) હવે જીવદ્રવ્ય તો દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે, ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે, તથા સંકોચ-વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મચેતના ગુણ રહિત, જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલ પરમાણુઓનો પૂંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તો પણ જીવનો કોઈ પ્રદેશ કમરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણો ધરી બન્ને જુદા જુદા રહે છે ૬) તો પછી અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ કેવી રીતે થાય છે? જેમ વ્યક્ત ઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્ત ઇન્દ્રિયગમ્ય એવા સ્થૂલ પુદ્ગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિયગમ ન હોવા યોગ્ય મૂર્તિક કર્મો એ બન્નેનું પણ બંધાન છે એમ માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈનો કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એ બન્નેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય-કારણપણે તેઓનું બન્યું રહે એટલું જ અહીં બંધ ન જાણવું. હવે મૂર્તિક-અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં(એક ક્ષેત્રાવગાહ) રહેવામાં કોઈ વિરોધ નથી. ૭) કર્મ અનંત પ્રકારના છે, એમાં મુખ્ય આઠ સમજવા માટે છે. (૧) જ્ઞાનાવરણીય (૩) મોહનીય (૫) નામ (૭) આયુષ્ય (૨) દર્શનાવરણીય (૪) અંતરાય (૬) ગોત્ર (૮) વેદની. ૮) કર્મ તો જડ છે, જરાય બળવાન નથી એ વડે જીવના સ્વભાવનો ઘાત થવો વા બાહ્ય સામ્રગી મળવું કેમ સંભવે ? જો કર્મ પોતે કર્તા થઈ ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રી મેળવી આપે ત્યારે તો કર્મમાં ચૈતન્યપણું જોઈએ તથા બળવાનપણું જોઈએ, પણ એમ તો છે નહિ. સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે આત્મા સ્વયં પોતેજસ્વભાવરૂપ પરિણમન કરતો નથી - વિભાવરૂપ પરિણમન કરે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy