________________
૧૨૪ રહેતો નથી. અલ્પ સમયમાં ચારિત્ર મોહનીય પણ નષ્ટ પામી જાય છે. મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે અને તે જ દીર્ઘ સંસારની સ્થાપના કરે છે. તેથી તેનો નાશ કર્યો કે સંસારનો કિનારો આવી ગયો. દર્શનમોહ અમર્યાદિત છે, ચારિત્ર મોહ મર્યાદિત છે, પરંતુ બન્ને સંસારના જ
કારણો છે. ૪૧. આસવનું સ્વરૂપ : ૧) આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ એ આસવો પોતાના પરિણામના નિમિત્તે
થાય છે. એટલે પોતાના પરિણામના આશ્રયે થાય છે તેથી તેઓ જડ નથી. આસવો વાસ્તવિક ચૈતન્યનું સ્વરૂપ તો નથી, પણ તેઓ જીવની પર્યાયમાં ચિવિકારપણે થાય છે, માટે તેઓ ચિભાસ છે. (ચૈતન્યનો તેમાં ભાસ થાય છે.) પોતાના આશ્રયે થાય છે. પોતાના પરિણામના કારણે) એટલે તેઓ કર્મના ઉદયને કારણે થાય છે એમ નથી. રાગ અને ચૈતન્યની પરિણતિ છે માટે ચિાભાસ છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. ૨) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલ પરિણામો જ્ઞાનાવરણાદિપુદ્ગલના આસ્રવણના (આવવાના) નિમિત્ત હોવાથી ખરેખર આઝૂવો છે. ૩) જૂના કર્મનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે માટે તેને આસ્રવ કહે છે. અસંજ્ઞા આસવો તે જડના પરિણામ – જડના ભાવ છે. તે અજીવ પુદ્ગલ છે. દર્શનમોહ કર્મ, ચારિત્રમોહ કર્મ, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. ૪) જૂના(પૂર્વના) જડ કર્મોનો ઉદય નવા કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે પણ એ ક્યારે ? જીવ રાગદ્રષ-મોહના પરિણામ કરે ત્યારે. ૫) જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે, કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ. ૬) તે કાળે મિથ્યાત્વાદિજડપુદ્ગલના પરિણામ જે ઉદયરૂપ થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. ૭) તે મિથ્યાત્વાદિ અજીવ પુદ્ગલના પરિણામને આસ્રવ કેમ કહીએ ? તો કહે છે નવા કર્મના આવાગમાં નિમિત્ત છે માટે તે નવા કર્મના આસવાણમાં નિમિત્ત ક્યારે થાય તો કે જૂના કર્મના ઉદય
કાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂના કર્મ નવા કર્મના આસ્રવણમાં નિમિત્ત થાય છે. ૪૨. સ્વતંત્રતાનો ઢંઢેરો પ્ર.: જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય તેમાં પોતે શું કરી શકે?
ઉ. : ૧) બહારના સંયોગ મળવા અને ન મળવા એમાં પુણ્ય-પાપ કારણ છે. ૨) શુભ ઉપયોગયુક્ત આત્મા પુણ્યના ઉદય કાળે ઇન્દ્રિય સુખ પામે છે, પણ અંદરમાં જે રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતાં, કર્મ તેમાં નિમિત્ત છે. ૩) જો કર્મ રાગ-દ્વેષ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. જો એમ જ હોય તો પછી ઉપદેશ કેવી રીતે અપાય કે તું રાગ-દ્વેષના પરિણામ ન કરી?