________________
૧૨૩ ઘણી વાર શાસ્ત્રોમાં એવા કથન આવે છે કે જીવને વિકારપણે અથવા કર્મને જીવ પરિણામે (બાંધે), એવા પ્રકારની નિમિત્તની મુખ્યતાથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારનું કથન કહેવામાં આવે પણ તે વાત વ્યવહાર હોવાથી એ વાત સત્ય ન માનવી. નિશ્ચયથી તો જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહિ – એ વાત સમજવી.
જ્યારે જીવ પોતાનું નિજ સ્વરૂપ સ્વયં પ્રગટ કરે - સાંસારિક દશાને વધારે - ત્યારે મોહનીય કર્મ નિમિત્ત છે, પણ જીવનું કાંઈ બુરું કરી શકે તે માનવું તે મિથ્યાત્વ છે. સાંસારિક દશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય, અશાંતિ થાય, ક્ષોભ થાય, એમાં ત્રણ વિભાગ પડે છે. ૧) અશાંતિરૂપ વેદનનું જ્ઞાન - તે દુઃખરૂપ વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થાય છે તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. ૨) તે વેદન તરફ ઝૂકે ત્યારે નિમિત્તકારણ -તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે. ૩) અશાંતિરૂપ વેદન(દુઃખનું વેદન) - જીવને જે દુઃખનું વેદના થાય છે તેમાં મોહનીય કર્મ નિમિત્ત છે. અશાંત, મોહ - આત્માથી વિમુખતા તથા વિષયાસક્તિ એ સર્વ કર્મ મોહના છે. તેથી સૌથી
પહેલા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો ભગવાન ઉપદેશ આપે છે. ૪૦. મોહનીય કર્મના ભેદ પ્રભેદ સમજવા જેવા છે. મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છે. ૧) દૃષ્ટિની વિમુખતા - ‘દર્શન મોહ' ૨) ચારિત્રની વિમુખતા - ‘ચારિત્રમોહ'
દર્શનમોહ અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે. તે જ વખતે ચારિત્રમોહનો એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એક સાથે જ અભાવ થાય છે. અને ત્યાર પછી ક્રમે ક્રમે વીતરાગતા વધતાં પાંચમે ગુણસ્થાને શ્રાવકના બાર વ્રત લેતાં બીજ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભની ચોકડીનો અભાવ થાય છે. તથા છઠ્ઠા ગુણસ્થાને મુનિની સર્વસંગ પરિત્યાગ વ્રત લેતાં ચારિત્રમોહનો ત્રીજી કષાયની ચોકડીનો અભાવ થાય છે અને સ્થિરતા વધતાં ક્રમે ક્રમે રાગનો અભાવ થતો જાય છે.
મિથ્યાત્વના નાશની સાથે જ કષાયનો પૂર્ણ નાશ નથી થતો; કારણ કે મિથ્યાત્વ અને કષાય એ બન્ને જુદા જુદા ગુણની પર્યાય છે. એક શ્રદ્ધા ગુણની અને બીજી ચારિત્ર ગુણની. - જ્યારે સમ્યકત્વ થાય ત્યારે બધા જ ગુણ અંશે પરિણમે છે પણ શ્રદ્ધા ગુણ પૂર્ણ પરિણમી જાય છે અને ચારિત્રમાં પણ અનંતાનુબંધી કષાયની પ્રથમ ચોકડીનો તદ્ધ અભાવ થાય છે. જ્ઞાન સમ્યક થાય છે અને ચારિત્ર સ્વરૂપાચરણ હોય છે.
જેવો મિથ્યાત્વનો નાશ થયો કે મૂળ કારણ ન રહેતાં ચારિત્ર મોહનીયનો ટકાવ પણ અધિક