________________
૧૨૨ વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. તેથી ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી.
કર્મ છે, એનું અસ્તિત્વ છે. એનું ભાવશક્તિના હિસાબે પરિણમન છે તથા ક્રિયાવર્તી શક્તિના લીધે ત્રાંતર છે એ બધું સિદ્ધ કર્યું. હવે ‘ઉદય” એટલે એ ફળ દેવાના સામર્થ્યરૂપે પ્રગટ થયું - એટલે સત્તામાંથી તે પાકમાં” ઉદયમાં આવ્યું. ખરેખર તો તેની હાજરી જ ત્યાં છે, જેને નિમિત્ત કહેવામાં આવે છે.
આ બાજા જીવ છે. તે કઈ દશામાં છે તેના પર આધાર છે. અજ્ઞાનદશામાં જો જીવ તેને અનુસરીને ભાવ્ય- વિકાર કરે તો ઉદયને ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય અને મોહ કરનાર જીવને ભાવ્ય કહેવાય.
ભવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી પાછો વાળવાથી ઉદય તરફનું લક્ષ છૂટી જાય છે અને પોતાના સ્વભાવ તરફ લક્ષ જાય છે. જીવને જ્ઞાનદશામાં એ જણાય છે કે હું જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' આને મોહનું જીતવું કહે છે.
જે સમયે ઉદય આવ્યો તે સમયે જ, સાથે જ રાગ-દ્વેષ કષાયનો અભાવ હોય છે, પછી નહિ; કારણ : ઉદય આવ્યો ત્યારે તેને અનુસરીને પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન થયો જ નહિ.
પોતાના પુરુષાર્થ વડે આત્માને ઉદયથી ભિન્ન કરતાં પાછો વાળતાં મોહ ઉત્પન્ન થયો જ નહિ અને તેથી ભાવક-ભાવ્ય સંકરદોષ દૂર થઈ ગયો. નિમિત્તનું અનુસરણ છૂટતાં તેને અનુસરે જે પોતાનો ઊંધો(અવળો) પુરુષાર્થ થતો હતો તે હવે ઉપાદાનને(નિજ સ્વભાવને) અનુસરીને સવળો પુરુષાર્થ થાય છે - એ જ સત્ય પુરુષાર્થ છે.
- જે સત્તામાં કર્મ છે તે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે તે સમયે આત્માની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. વિકાર થવાની પર્યાયમાં યોગ્યતા છે. કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. જેટલે અંશે પરથી હટી સ્વ તરફ આવે છે, પોતાના સ્વભાવમાં રહે છે તેટલા અંશે ભાવક-ભાવ્ય સંકરદોષ દૂર થાય છે.
જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતાં સર્વ ભાવોથી પરમાર્થે ભિન્ન એવા પોતાના આત્માને જે અનુભવે છે તેણે મોહને જીત્યો છે. ૩૯. મોહનીય કર્મ (વિશેષ સ્પષ્ટતા) : પ્રથમ તો એ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે જીવમાં થતાં વિકાર
ભાવ પોતે પોતાની પુરુષાર્થની નબળાઈને લીધે કરે છે ત્યારે કર્મના ઉદય હાજરી રૂપે નિમિત્ત છે. પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે. તેમ જ જીવ વિકાર કરે ત્યારે પુદ્ગલ કામણ વર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.