________________
૧૧૫ જગતના પરપદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી, જ્ઞાનમાંથી ટળી જાય છે. તેથી અહીં જે ‘ગ્રહણ કરવાનું કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે, એમ સમજવું. જીવને અનાદિથી કર્મ પુદ્ગલો સાથે સંબંધ છે અને જીવના વિકારનું નિમિત્ત પામીને સમયે સમયે જૂના કર્મો સાથે નવા કર્મો સ્કંધરૂપે થાય છે - એટલો સંબંધ બતાવવા માટે આ ઉપચાર કર્યો છે; ખરેખર જીવ સાથે કર્મયુગલો બંધાતા નથી પણ જૂના કર્મપુદ્ગલો સાથે નવા કર્મ પુલોનો બંધ થાય છે; પરંતુ જીવમાં વિકારની યોગ્યતા છે અને તે વિકારનું નિમિત્ત પામીને નવા કર્મપુદ્ગલો બંધાય છે માટે ઉપચારથી જીવને કર્મપુદ્ગલોનું ગ્રહણ કહ્યું છે. ખરેખર એમ વસ્તુસ્વભાવ
નથી. એ વ્યવહાર નયનું કથન છે. ૧૩. આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વટાળતાં તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમજએકતાલીશ
પ્રકૃત્તિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીના કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની રહી જાય છે અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. માટે સૌથી
પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારનો ઉધમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો જોઈએ. ૧૪. જીવને અનાદિથી દોષીત અવસ્થા છે, અનાદિથી તેના ગુણોની પર્યાયમાં અજ્ઞાન, મિથ્યાત્વ અને
અસંયમ રૂપે પરિણમન દેખાય છે અને એ જ જીવનું સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે. આ જીવ જેવું પોતાનું સ્વરૂપ છે તેવું જાણતો નથી, માનતો નથી અને તેમાં સ્થિર રહેતો નથી તેને જ મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ આત્મા - એના ગુણો અને પર્યાય એ બધું અરૂપી, સૂક્ષ્મ છે તો એ ગુણ-પર્યાયની સ્થિતિનો મ પ કેમ કાઢવો? એની વર્તમાન સ્થિતિનું માપ દર્શાવવા વ્યવહારથી એ માપ કેમ શક્ય બને એ માટે કોઈ સ્થૂળ રૂપી પદાર્થનું અવલંબન લેવામાં આવ્યું અને ઘનિષ્ટ નિકટતાથી ભગવંતોએ જોયું કે આત્માની નજીકમાં નજીક એકક્ષેત્રાવગાહે પુદ્ગલ પરમાણુઓ જ્ઞાનમાં જણાયા. તો એમનો માપ તરીકે ઉપયોગ કરી વ્યવહારથી કર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. એ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વસ્તુસ્થિતિ સમજાવવા માટે કહેવામાં આવી છે નહિ કે કર્તા-કર્મ સંબંધ સ્થાપવા માટે !
વસ્તુસ્થિતિ એમ છે કે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો ક્ષેત્રાંતર કરવાની શક્તિવાળા હોવાથી તેઓ ક્રિયાવર્તી શક્તિવાળા છે; અને છયે દ્રવ્યો નિરંતર પરિણમનશીલ હોવાથી ભાવવર્તી શક્તિવાળા છે. તો યોગાનુયોગ આકાશના એક પ્રદેશમાં જ્યાં આત્મા છે ત્યાં પુદ્ગલ પરમાણુએ, પણ ક્ષેત્રમંતર કરતા જોવામાં આવ્યા છે અને આ સંબંધ - સાથે રહેવાનો – સંસાર અવસ્થામાં અનાદિથી છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્યો જ ક્રિયાવર્તી શક્તિવાળા ગતિ કરનારા અને ગતિપૂર્વક સ્થિર થનારા દ્રવ્યો છે, તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અનુક્રમે નિમિત્ત છે. જીવ અને પુલમાં ક્રિયાવર્તી શક્તિ નામનો ગુણ નિત્ય છે. તે શક્તિના કારણે તે બન્ને દ્રવ્યો તે સમયની યોગ્યતાનુસાર સ્વત: ગમન કરે છે અથવા સ્થિર રહે છે. કોઈ દ્રવ્ય(જીવ યા પુગલ) એકબીજાને ગમન અથવા સ્થિરતા કરાવી શકતું નથી. આ વસ્તુસ્થિતિની મર્યાદા છે.