________________
૧૧૪
૮. આખા લોકમાં અનંત જીવો છે તે આ રીતે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં - સ્વચતુષ્ટયમાં - રહી સતત પરિણમન કરી રહ્યા છે. એ જ રીતે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ પણ પોતાના સ્વચતુષ્ટયમાં રહી સતત પરિણમન કરી રહ્યા છે. સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને
ભાવ.
૯. આત્માના સ્વચતુષ્ટય સમજાવો.
સ્વદ્રવ્ય : પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી અભિન્ન તે સ્વદ્રવ્ય.
સ્વક્ષેત્ર ઃ લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે આત્માનું સ્વક્ષેત્ર.
સ્વકાળ : જે નિત્ય સ્વભાવને છોડ્યા વિના નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે નિજ પરિણામનું નામ સ્વકાળ.
સ્વભાવ ઃ દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાળી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ.
૧૦. પુદ્ગલ પરમાણુના સ્વચતુષ્ટય સમજાવો.
સ્વદ્રવ્ય : પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંતગુણોથી તેમજ તેના સર્વ પર્યાયોરૂપ અખંડ વસ્તુ તે પુદ્ગલનું સ્વદ્રવ્ય.
સ્વક્ષેત્ર : પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર.
સ્વકાળ : નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોના ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ સ્વકાળ.
સ્વભાવ ઃ પુદ્ગલ દ્રવ્યના આશ્રયે રહેલા જે સ્પર્શાદિક અનંત ગુણો છે તે તેનો સ્વભાવ.
૧૧. આ રીતે આત્મા અને પુદ્ગલનું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ સમજવાથી સિદ્ધ થાય છે. આત્માના પરિણમનમાં પુદ્ગલ કાંઈ કરતું નથી અને પુદ્ગલ(કર્મો)ના પરિણમનમાં આત્મા કાંઈ કરી શકતો નથી. આવો સ્વભાવ અને પરભાવોનો વિવેક જાણી, સમજી તેનું તે રીતે શ્રઘ્નાન કરવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે. આત્મા અને કર્મને કોઈ પ્રકારનો કર્તા-કર્મ સંબંધ નથી એ પ્રથમ નક્કી કરવું. આ નિશ્ચય છે.
૧૨. આત્મા તો અમૂર્તિક છે, હાથ-પગ વગરનો છે અને કર્મો તો મૂર્તિક છે, તો તે કર્મોને કઈ રીતે ગ્રહણ કરે ? અનાદિથી બંધ કેમ છે ? ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી. આત્મા અને પરદ્રવ્યો(કર્મો પણ) તદ્ન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, ગુણોમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતાં નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી ૨ કે નહિ, દ્રવ્યકર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ. આ પ્રથમ નક્કી થતાં