SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ૩. જીવ દ્રવ્ય અનંત છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ અનંત ગુણોમાં જીવ દ્રવ્યના મુખ્ય ગુણ છે. રસ, રંગ,ગંધ, સ્પર્શ અજીવ દ્રવ્યના મુખ્ય ગુણ છે. આ દ્રવ્યોના વિશેષ ગુણ છે. ૪. જે ગુણો બધા જ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. સામાન્ય ગુણ પણ અનંત છે પણ મુખ્ય છ છે. (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તૃત્ત્વ (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ ૬) પ્રદેશ7. ૫. દ્રવ્યનું લક્ષણ સત્ છે. સત્ એટલે અસ્તિત્ત્વ, ‘છે'પણું(અસ્તિત્ત્વ) જેને હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. એમ અનેકાન્ત’ સિદ્ધાંતથી એ જણાય છે કે એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. દક દ્રવ્ય સ” લક્ષણવાળું છે, તેથી તે સ્વતઃસિદ્ધ છે. તે સ્વતંત્ર છે, પોતાના કાર્ય માટે તે કોઈની અપેક્ષા રાખતું નથી. જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને આ રીતે સ્વતંત્ર દ્રવ્ય છે. બન્ને ભિન્ન દ્રવ્ય છે અને બન્ને એકબીજાનું કાર્ય કરવા અસમર્થ છે પણ પોતાનું કાર્ય સ્વતંત્રપણે કરી શકે છે. ૬. સનું લક્ષણ શું? જે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સહિત હોય તે સત્ છે. ઉત્પાદઃ દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. વ્યય : પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે. ધૌવ્ય : બન્ને પર્યાયોમાં(ઉત્પાદ અને વ્યયમાં) દ્રવ્યનું સદશતારૂપ કાયમ રહેવું તેને ધ્રૌવ્ય કહે છે. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત એ ત્રણેથી યુગપત(એક જ સમયે) યુક્ત માનવાથી સત્ સિદ્ધ થાય છે. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે. તે જ પ્રમાણે એ સ્વતઃ પરિણમનશીલ પણ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય આ રીતે સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે અને સમયે સમયે તેમના ગુણોનું પરિણમન થઈ રહ્યું છે જે પર્યાય કહેવાય છે. ૭. સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રયાત્મક છે. એ કથનમાં આધ્યાત્મિક રહસ્ય શું રહેલું છે? દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે; તે જ વખતે નિમિત્તો હોવા છતાં દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. સમ્યગ્દર્શન થયું ત્યાં, તે સમ્યગ્દર્શનના ઉત્પાદને, મિથ્યાત્વના વ્યયને અને શ્રદ્ધાપણે પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. પણ સમ્યત્વના નિમિત્તભૂત એવાં દેવ, ગુરુ કે શાસ્ત્રને આત્મા સ્પર્શતો નથી. તે તો જુદા જુદા સ્વભાવવાળા પદાર્થો છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય તથા શ્રદ્ધાપણાની સળંગતારૂપ ધ્રુવતા - એ ત્રણેય આત્મામાં જ સમાય છે; પણ તે સિવાયના બાહ્ય નિમિત્તો છે તેઓ આત્મામાં સમાતા નથી. સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે; તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે, એટલે પોતાના સ્વભાવપણે જ વર્તે છે. પણ પરદ્રવ્યના કારણે કોઈના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતા નથી. પરદ્રવ્ય એટલે પુદ્ગલ પણ પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવમાં અનાદિ-અનંત વર્તે છે. આ સર્વજ્ઞોએ કહેલું ભેદજ્ઞાન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy