SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આત્માનો અનુભવ થાય તેને સમ્યક્ત્વ કહેવાય છે અને જીવ ચોથે ગુણસ્થાને આવ્યો એમ કહેવાય છે. ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન છે. ૧૩ અભિપ્રાયની ભૂલ : ૧. અધ્યાત્મના સિદ્ધાંતમાં દેવ-ગુરુ અને શાસ્ત્ર અને નિજ ભગવાન આત્મા બન્ને ભિન્ન છે. જેને વ્યવહારથી ધર્મ સાધનરૂપે કહેવામાં આવે છે તે નિશ્ચયથી બાધકરૂપ છે. જીવને અભિપ્રાયમાં આ બાહ્ય સાધનો (નિમિત્તો) સત્ય સાધનરૂપે માનવામાં આવવાથી તેની અધિકતા વર્તતી હોવાને લીધે તે ત્યાં અટકી જાય છે અને અંતર્મુખ થઈ શકતો નથી. આ અભિપ્રાયની ભૂલ છે. ૨. ધર્મોપદેશનું શ્રવણ, વાંચન, વિચાર, મનન, જ્ઞાનનો ક્ષયોપશમ એ પણ બધા વ્યવહારથી ધર્મ સાધનરૂપ કહેવામાં અને માનવામાં આવે છે - પણ જો તે આત્માના આશ્રયે કરવામાં ન આવે તો ત્રિક ળી સ્વભાવ પ્રત્યે આવી શકાય નહિ. તેવા પ્રકારની પણ અભિપ્રાયની ભૂલ મિથ્યા માન્યતારૂપ છે. ૩. મુમુક્ષુ જીવને નિજ સ્વભાવથી અધિક અન્ય મુમુક્ષુ પ્રત્યે તથા ગુણાતિશયવાન સત્પુરુષ પ્રત્યે સહજ બહુમાનનો ભાવ વર્તે છે, સ્ફુરે છે. ત્યાં ગુણ પ્રાપ્તિનો અભિપ્રાય યોગ્ય હોવા છતાં અન્ય જીવ પ્રત્યે રાગ કરવાનો અભિપ્રાય ઉચિત નથી, કરવા યોગ્ય નથી. સહજ રાગ થવો અને અભિપ્રાયપૂર્વક રાગ થવો અથવા કરવો એ શ્રદ્ધાગુણની વિપરીતતા છે. ૪. પરપદાર્થ તો શેયમાત્ર છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માનવું એ અનાદિથી વિપરીત અભિપ્રાય છે. એ અભિપ્રાયની ભૂલ છે. ૫. પરપદાર્થમાં સુખબુદ્ધિનો અભિપ્રાય મુમુક્ષુની ભૂમિકાની યોગ્યતાને રોકે છે, આવિરત કરે છે, મલિન કરે છે. સુખ એ તો અનુભવની વસ્તુ છે અને તે સિવાય બીજે ક્યાંય સુખની કલ્પના કરવી એ અભિપ્રાયની ભૂલ છે. ૬.‘હું કર્મજનિત પર્યાયવાળો છું’ એ અભિપ્રાયમાં પણ મૂળ સ્વરૂપ ભાસતું નથી. ભગવાન ચૈતન્ય આત્મા અનંત શક્તિઓનો ભંડાર એક સમયની પર્યાય જેટલો નાનો થોડો છે. આવું માનનાર તો વ્યવહારાભાસી છે. આ અભિપ્રાયની મોટી ભૂલ છે. ૭. વળી જો પોતાને ‘અબંધક - જ્ઞાયક સ્વરૂપે’ કલ્પનામાં લ્યે અને વર્તમાન પર્યાયનો દોષ ખ્યાલમાં ન આવે અને સ્વચ્છંદી બની જાય તો તેને નિશ્ચયાભાસની ઉત્પત્તિ થાય છે. એ અભિપ્રાયની ભૂલ છે. ૮. જ્ઞાયક તત્ત્વની પરલક્ષી ધારણાપૂર્વક વિકલ્પ કે વાણીમાં ‘હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું’ એમ ગમે તેટલું જોર દેવાય તો પણ તે કૃત્રિમ પુરુષાર્થ હોવાથી સ્વરૂપ શ્રદ્ધાની કાર્યસિદ્ધિ થતી નથી. ૯. જ્યાં અભિપ્રાયપૂર્વક શાતાના કારણો પ્રિય લાગે ત્યાં મુમુક્ષુતાની યોગ્યતા હણાય છે. અને સ્વયં પોતે જ નિરાવલંબ - નિરપેક્ષપણે અનંત અવ્યાબાધ, અચિંત્ય સુખસ્વરૂપ છે - તેમ તેને ભાસતું નથી. આ અભિપ્રાયની વિપરીતતા આત્મશ્રેયમાં અવરોધક છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy