SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૧૦. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને અભિપ્રાયની ભૂલ” રહે તો તેને વ્યવહારાભાસીપણું અથવા નિશ્ચયાભાસીપણું અથવા પ્રમાણનો પક્ષ થઈ જાય છે. માત્ર આત્મહિતના અભિપ્રાયથી તત્ત્વનો અભ્યાસ થાય તો આવી ભૂલ રહેતી નથી. ૧૧. મુમુક્ષુ જીવને નિર્વિકલ્પદશા - મુનિદશા - મોક્ષદશા’ની ભાવના થાય છે. પરંતુ આ દશા તો ધ્રુવ સ્વરૂપના આશ્રયે સહજ થાય છે. તેવો યથાર્થ અભિપ્રાય હોય તો સહજ તેવી પર્યાયની યોગ્યતા થઈ જાય છે. નહિતર પર્યાયની કર્તા બુદ્ધિ સહિત ભાવના થાય છે. તેમાં અભિપ્રાયની ભૂલ હોવાથી તે ભાવના સફળ થતી નથી. ૧૨. કોઈ પણ અન્ય જીવને વિરાધક પરિણામોની જ્યારે જાણતાં કે અજાણતાં અનુમોદના થઈ જાય છે ત્યારે તત્ત્વ સંબંધી આસ્રવ શરૂ થઈ જાય છે. અનુમોદના અંગેના અભિપ્રાયમાં કર્તુત્વ બુદ્ધિ રહેલી છે. ૧૩. મિથ્યાદષ્ટિને પર્યાય અને સંયોગમાં ફેરફાર કરવાનો અભિપ્રાય હોવાથી કૃત્રિમ પુરુષાર્થ કરતો રહે છે છતાં જે થવાનું હશે તે થશે એમ ધારણામાત્રથી કહે તો તે યથાર્થ પ્રકાર નથી. ૧૪. મુમુક્ષુને “અભિપ્રાયના દોષ' વિશેની અજ્ઞાનતાને લીધે પણ કાર્યપદ્ધતિની, વિધિની ભૂલ થાય છે - આ બધી અભિપ્રાયની ભૂલો વિચારવા જેવી છે ૧૪ જીવ - મિથ્યાદર્શન અને કર્મબંધન : ૧. જીવને અનાદિથી મિથ્યાદર્શન સ્વરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ(સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ ન હોય અને જેવું પદાર્થસ્વરૂપ હોય તેવું એ ન માને તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. ૨. આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુસ્વરૂપ છે તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ - જેવા કે દ્રવ્યકર્મ, નોકર્મ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ પુલ કે જે પોતાથી પર છે – તેને પોતાના માને છે - પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક નથી - પોતાનું અને પરદ્રવ્યનું સ્વરૂપ જેવું નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે. ૩. આખા લોકમાં કાર્મણવર્ગણારૂપ પુગલો ભર્યા છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે, તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહ સંબંધને બંધ કહ્યો છે. ૪. બંધના બે પ્રકાર છે. ભાવબંધ અને દ્રવ્યબંધ, જીવમાં જે વિકારી ભાવ થાય છે તે ભાવબંધ છે અને જીવના ભાવબંધનું અને તે ભાવબંધનું નિમિત્ત પામીને થતાં દ્રવ્યકર્મના બંધને દ્રબંધ કહેવામાં આવે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy