________________
૧૦૯
મિથ્યા તે આત્માનો વિભાવ ભાવ છે, સહજ સ્વભાવ ભાવ નથી. બાહ્ય સંજોગોના નિમિત્તે જે અનાદિ ધ્રુવગુણનું સ્વભાવસ્વરૂપમાં પરિણમન ન થતાં અન્યથા પરિણમન થાય તે વિભાવ પરિણમન છે. આત્માનો જ્ઞાનગુણ જ્યારે બાહ્ય પદાર્થની અસરને આકર્ષી સ્વભાવ સ્વરૂપ ગુણમાં ન પરિણમે ત્યારે જ્ઞાનગુણની વિકૃત્તિ થયેલી હોય છે. એ વિકૃત્તિ - ભ્રમણા એ જ મિથ્યાત્વ નામથી ઓળખાય છે.
આ પ્રથમ ગુણસ્થાન આત્માનો વિકાસ શરૂ થાય એ પહેલાંની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું છે. આ ગુણસ્થાનમાં રહેલાને વસ્તુના સ્વરૂપ સંબંધી જરાય શ્રદ્ધા નથી. આ ગુણસ્થાનનો જીવ લગભગ દુર્ગતિનો જ બંધ બાંધે છે
આ ગુણસ્થાનમાં રહેલો જીવ અનંતાનુબંધી ચોકડીમાં ફસાયેલો છે. આ સ્થાનમાં રહેલા મિથ્યાદષ્ટિ જીવના મિથ્યાત્વની આદિ તથા અંત બન્ને છે. તેની જઘન્ય સ્થિતિ અંતમુહર્તની અને ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ હોય છે.
જ્ઞાન અને અજ્ઞાન - શ્રદ્ધા અને મિથ્યાત્વને પરસ્પર વિરોધ છે. પરંતુ માર્ગાનુસારી પ્રાપ્ત કરી આગળ વધવાના ગુણોની અપેક્ષાએ તેને ગુણસ્થાનક કહ્યું છે. કેમ કે સદાય મિથ્યાત્વ ભાવમાં ત્યાં રહેતો નથી. આ ભાવ પલટાય છે માટે તે ગુણસ્થાનક છે. ભવ્ય જીવોને માટે આ પ્રથમ પગથિયારૂપ છે. સમકિત સન્મુખ જીવો માટે તેને પહેલું ગુણસ્થાનક કહ્યું છે.
મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન - પહેલું)ને પાંચે બંધ હોય છે. સર્વ પ્રકારના બંધનું કારાગ મિથ્યાત્વ છે અને તે જ સૌથી પહેલાં ટળે છે. પાંચ બંધના કારણો આ પ્રમાણે છે. ૧) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) પ્રમાદ ૪) કષાય અને ૫) યોગ. - મિથ્યાત્વટવ્યા વગર અન્ય બંધના કારણો (અવિરતી આદિ) પણ ટળતા નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ.
બંધનું સર્વોત્કૃષ્ટ કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતી આદિ બંધના કારણ ટળે જ નહિ - એ અબાધિત સિદ્ધાંત છે. મિથ્યાત્વ એ મહાન પાપ એટલા માટે છે કે મિથ્યાત્વ હોય ત્યાં અન્ય સર્વ પાપોનો સભાવ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. જ્યાં સુધી મિથ્યાત્વ - પહેલું ગુણસ્થાનક - છે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી જ નથી.
આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વ ટાળતા તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમજ એકતાલીસ પ્રવૃત્તિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીની કર્મોના સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરની રહી જાય છે, અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે, સંસારનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અભાવ કર્યા સિવાય અન્ય અનેક ઉપાય કરવા છતાં મોક્ષ કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારથી ઉદ્યમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો યોગ્ય છે.
આત્મા, તીર્થકરોએ જેવો વર્ણવ્યો છે તેવા જણાય અને તેની યથાર્થે પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય એવો