________________
૧૦૮
૧૦. કુસંગની રુચિ - સત્સંગની અરુચિ. ૧૧. સિદ્ધાંતની વિરુદ્ધ પ્રરૂપણા. ૧૨. જ્ઞાનનો ઉધાડ(ક્ષયોપશમ)ની રુચિ. ૧૩. મિથ્યા આગ્રહ. ૧૪. અહિતમાં હિત બુદ્ધિ. ૧૫. હિતરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ. ૧૬. અસરળતા. ૧૭. દોષનો પક્ષપાત. ૧૮. પર્યાયમાં એકત્વ - પર્યાય બુદ્ધિ. ૧૯. ઉદયમ ચિકાસ - રસયુક્ત પરિણામ. ૨૦. ભેદ પ્રધાનતા વા ભેદની રુચિ. ૨૧. મતાગ્રહ. ૨૨. વિપરીત અભિનિવેશપૂર્વક તત્ત્વનો સ્વીકાર. ૨૩. કલ્પિત અધિષ્ઠાન, કલ્પિત ધ્યેય, કલ્પિત સાધનનો સ્વીકાર. ૨૪. સ્વચ્છંદ. ૨૫. વ્યવહારનો પક્ષ. ૨૬. કુતુહલ વૃત્તિ ૨૭. કુદેવાદિની શ્રદ્ધા. ૨૮. વીતરાગ દેવાદિનો નિષેધ. ૨૯. વિઘમ ન સપુરુષની વિમુખતા - ઉપેક્ષા - અવર્ણવાદ. ૩૦. ગુણવાન પ્રત્યે માત્સર્ય. ૩૧. અધ્યાત્મનો વ્યામોહ.
૩૨. સુધર્મની અરુચિ. ૧૨ પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ:
મિથ્યાત્વ એટલે સત્યથી તદ્ન અવળી બાજુ. અજ્ઞાન કે અવિદ્યા સાથે રહેવાનું જેસ્થાન તે મિથ્યાત્વ. પ્રથમ ગુણસ્થાનને ‘મિથ્યાત્વ” ગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનમાં મોક્ષથી વિમુખ વિપરીત દષ્ટિ હોય છે.