________________
૯૫ ૪. સંવર નિર્જરાનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મસ્વરૂપના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન
આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ જ મોક્ષમાર્ગ
છે.
૫. એ મોક્ષમાર્ગમાં પ્રથમ સમ્યગ્દર્શન’ આવે છે. મિથ્યાત્વના અભાવરૂપ જે શ્રદ્ધાગુણની નિર્મળ
પર્યાય (પરિણતિ) તે જ પ્રથમ થવી જોઈએ. સ્વરૂપની સાચી સમજણ થવી જોઈએ. ૬. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત' અનંતકાળથી જીવ દુઃખ પામી રહ્યો છે તેનું મૂળ
કારણ તેને પોતાના સાચા સ્વરૂપની સમજણ નથી. પોતે કોણ છે તે ભૂલી ગયા છે. સ્વરૂપની
સમજણ એટલે જ્ઞાન અને શ્રદ્ધાની આ વાત છે. ૭. કર્મની અપેક્ષાથી જોઈએ તો પ્રથમ દર્શન મોહનીય'નો નાશ થાય છે, પછીજ ચારિત્રમોહનીય’નો
ક્રમે ક્રમે નાશ થાય છે. અનંતાનુબંધી કષાયની ચોકડી, મિથ્યાત્વના નારા સાથે પ્રથમ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે તેને અનંતાનુબંધી
કષાય કહેવામાં આવે છે. ૮. આત્મા તો અનાદિ-અનંત સચ્ચિદાનંદસ્વરૂપ છે. તેનો નિર્ણય કર્યા વિના જીવ અનંતકાળથી ચોર્યાસી
લાખ યોનિમાં જન્મ-મરણરૂપ ચાર ગતિમાં પરિભ્રમણ વડે મહા દુઃખ અનુભવે છે. ૯. મિથ્યાત્વ છે તે આડોડાઈ છે, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા છે. સમ્યગ્દર્શન એટલે સાચી પ્રતીતિ.
ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. ૧૦. આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને જે ભ્રમથી રાગરૂપે પરિણમ્યો છે તેને અન્ય
દ્રવ્યોથી જુદો દેખવો - જાણવો - શ્રદ્ધવો એ જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આમાં
ત્રણ ન્યાય આવ્યા. ૧૧. ૧) સ્વદ્રવ્ય ૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે અને ૩) વર્તમાન પર્યાયમાં રાગાદિ કષાયભાવ છે.
ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને રાગાદિભાવ છે તેનાથી પૃથ્થક થઇને ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૨. જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો - તેની સમ્યક
પ્રતીતિ કરવી - અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૩. શુદ્ધ નય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘન સ્વરૂપ દેખાડે છે અને તે
સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૪. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ(જ્ઞાયક) આત્માના લક્ષે
સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો એ સમ્યગ્દર્શન છે.