________________
૧૫. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું” આવો વિકલ્પ તે શુભ રાગ છે. તે શુભ રાગનું અવલંબન
પણ સમ્યગ્દર્શનને નથી, શુભ વિકલ્પને અતિક્રમતા સમ્યગ્દર્શન થાય છે. ૧૬. “આ મા કર્મથી બંધાયેલો છે કે કર્મથી બંધાયેલો નથી' એવા બે પ્રકારના ભેદમાં રોકાવું તે તો નયનો
પક્ષ છે. નયના પક્ષને ઓળંગી એક જ્ઞાયકના લક્ષે જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૭. હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી' એવા ભંગની વિચાર શ્રેણીના કાર્યમાં અટકવું તે અજ્ઞાન છે,
અને ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું(અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ
- તે જ સમ્યગ્દર્શન છે. ૧૮. હું પરાશ્રય રહિત, અબંધ શુદ્ધ છું' એવા નિશ્ચયનયના પડખાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં
રોકાય રાગને સમ્યગ્દર્શન માની લે) પણ રાગરહિત સ્વરૂપને ન અનુભવે ત્યાં સુધી અનુભવ થતો
નથી. સમ્યગ્દર્શન રાગરહિત સ્વભાવના અવલંબને પ્રગટે છે. ૧૯ જ્યાં સુધી અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ નથી થતાં ત્યાં સુધી વિકલ્પમાં સાચો આત્મા વિષયરૂપ
થતો નથી. ઉપયોગ અંતરમાં વળે ત્યારે જ આત્મા યથાર્થ સ્વરૂપે વિષયરૂપ થાય છે. વિકલ્પમાં આકુળતા છે - દુઃખ છે, તેમાં નિર્વિકલ્પ સુખ અનુભવાતું નથી. વસ્તુમાત્રને જ્ઞાનમાં અનુભવતા વિકલ્પ મટે છે અને પરમ સુખ થાય છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તન્મય થતાં અતીન્દ્રિય સુખનો સ્વાદ
આવે છે. શાંત નિર્વિકલ્પ થઈને અનુભવ થાય છે. ૨૦ અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી; તેથી આત્માના અનુભવ કરવા જતાં
પહેલા તે સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. સ્વરૂપ તો વિકલ્પોથી પેલે પાર છે. સ્વરૂપ તો
પક્ષાતિક્રાંત છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે એટલે કે તેના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૧ જે વરતુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો
એકરૂપ છે. નિરપેક્ષ છે. અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી. નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ નિરપેક્ષ
સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૨ આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે. અનાદિથી પર વસ્તુઓનો જ મહિમા આ જીવને
આવ્યો છે. અનાદિથી પરનું લક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. એવા મહા મહિમાવંત ચૈતન્ય ભગવાન આત્માનો મહિમા આવતાં તેનો લક્ષ થાય છે. અભેદ જ્ઞાતા સ્વભાવનું લક્ષ કરવું તે જ
સમ્યગ્દર્શન છે. ૨૩ સમ્યગદર્શન એ શ્રદ્ધા ગુણની એક નિર્મળ પર્યાય છે. પણ હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યગ્દર્શન
પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય એક પૂર્ણ અખંડ દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો
વિષય નથી. અખંડ એવા ચૈતન્ય ભગવાન આત્માને ધ્યાવતા સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૪ સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ