________________
૧૦. ‘શુદ્ધ દ્રવ્ય એમ લક્ષમાં લેનાર કોણ? તેના તરફ ઢળેલી શુદ્ધ પર્યાય, તેણે જ શુદ્ધપણે પોતાનો
અનુભવ કર્યો. આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૧૧. વિકલ્પથી જુદો પડીને નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપે પોતે પોતાને અનુભવે ત્યારે સમ્યગ્દર્શન
થાય છે. ૧૨. રાગની ઉપાસના કરે તે શુદ્ધ નથી; શુદ્ધ દ્રવ્યની ઉપાસના કરે તે જ શુદ્ધ છે. ૨૩ સમ્યગ્દર્શન સંબંધી વચનામૃત
૧. એક સેકંડનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરે છે. ૨. સમ્યગ્દર્શન સહજ છે, પોતાના સ્વભાવ સાથે તેનો સંબંધ છે. જેવો ભાવ સ્વભાવમાં છે તેવો
પર્યાયમાં સહજ પ્રગટે તે ભાવે આત્માનો અનુભવ થાય છે. ૩. જે છેવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને નિમિત્ત તરીકે જિનવચન જ હોય છે. (દશના લબ્ધિ). ૪. સમ્યજ્ઞાન વડે આત્મસ્વભાવ ઓળખાય છે. આત્મસ્વભાવ ઓળખાતાં, સ્વવિષયમાં રુચિ થાય
છે, અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય છે, તેમાં સુખબુદ્ધિ કદાપી થતી નથી. ૫. વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ. ૬. જિનવાણી માતા સ્વતંત્ર આત્મસ્વભાવને બતાવીને સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે છે અને એ રીતે,
વિષયોમાં સુખબુદ્ધિનું વિરેચન કરાવે છે. ૭. જીવ દિ પદાર્થોનું શ્રદ્ધાને તે વ્યવહારથી સમ્યકત્વ છે અને નિશ્ચયથી તો પોતાના આત્માનું શ્રદ્ધાને તે
સમ્યક્ત્વ છે. ૮. પોતાના આત્મસ્વભાવનો અનુભવ તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ તે નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. ૯. આ આત્માથી જુદી કોઈ વસ્તુ નથી પણ આત્માના જ શુદ્ધ પરિણામ છે તેથી તે આત્મા જ છે.
૧૦. ‘આમા આ છે' એવો નિશ્ચયભાવ તે સમ્યકત્વ'. ૨૪ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ (સાર) ૧. દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખથી બધા ડરે છે. અને બધા જ જીવ ઉપાય પણ સુખ પ્રાપ્તિના કરે
છે. સુખ એ આત્માનો સ્વભાવ છે અને અક્ષય, અનંત સુખ ઉપાદેય છે. આ સ્વાભાવિક સમજાય
એમ છે. ૨. સુખનું કારણ મોક્ષ છે. મોક્ષ એટલે દુઃખમાંથી મુક્તિ. આત્મા સહજરીતે સ્થિત થઈ જાય તેને મોક્ષ ' કહે છે. કર્મની ભાષામાં સર્વ કર્મના ક્ષયને મોક્ષ કહે છે. ૩. મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે.