________________
૯૩
૨. અનુભવરૂપ જ્ઞાનમાં દૃઢ ભાવનાથી અહંપણું થવાથી સ્વરૂપમાં અભેદતા સધાય છે જેને સમ્યક્ત્વ કહેવાય છે.
૩. જે જ્ઞાન પ્રમાણ થયું છે તે સમ્યક્ છે. સમ્યગ્દર્શનપૂર્વક ઊઘડેલું જ્ઞાન પોતાના પ્રયોજનને સાધતું હોવાથી સમ્યક્ છે.
૪. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનો આશ્રય જ સમ્યગ્દર્શન છે.
૫. ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે.
૬. સુખની પ્રથમ કણિકાનો અનુભવ આ સમ્યગ્દર્શન વખતે થાય છે.
૭. સ્વરૂપના મહિમાની તારત્મ્યતા વધતાં -મહિમા વધતાં ભાવભાસન થાય છે અને સ્વરૂપાકાર નિર્વિકલ્પ અવસ્થા પ્રગટ થાય છે તે જ સમ્યગ્દર્શન છે.
૮. સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેમાં નથી તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિનો વેચાર સ્વરૂપની નિઃસંદેહ અંતરદષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધે છે.
૯. વસ્તુ વિષાત ધ્યાવત, મન પા વિશ્રામ । રસ સ્વાત મુલ પણૈ, અનુમો યાૌ નામ ।।
૧૦. અનુમવ ચિંતામનિ રતન, અનુમવ હૈ રસપ । અનુમવ મારા મોલો, અનુમવ મોલ સરુપ ।।
૧૧. સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ, સુખાનુભૂતિ, આત્મજ્ઞાન એ બધા એકાર્થવાચક છે.
૧૨. શુદ્ધ વસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે.
૨૨ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) :
૧. નિશ્ચય સમ્યક્ સ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે.
૨. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વ-વિભક્ત આત્માની દૃષ્ટિ હોય છે.
૩. જ્ઞાયક ભાવને જાણવો, અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે.
૪. સમ્યગ્દર્શનની રીત એક જ છે; શુદ્ધ નય વડે બોધ કરીને અશુદ્ધતાથી ભિન્ન ‘સહજ એક જ્ઞાયકભાવ’ રૂપે પોતાને અનુભવવો. બસ આ જ એક રીત છે.
૫. સમ્યગ્દર્શન શુદ્ધ આત્માને દેખે છે.
૬. શુદ્ધ નય વડે જ આત્મા કર્મકલંકથી જુદો શુદ્ધ અનુભવાય છે.
૭. ભેદજ્ઞાન શુદ્ધ નય વડે જ થાય છે.
૮. પર્યાય પોતે રાગથી જુદી પડીને શુદ્ધ થઈ ત્યારે જ તેણે જાણ્યું કે ‘હું’ (આત્મા) શુદ્ધ છું.
૯. દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ તેની ઉપાસના કરીને શુદ્ધને સેવે ત્યારે જ તે આત્માને ‘શુદ્ધ’ કહ્યો. ત્યાંથી જ સમયસારની શરૂઆત થઈ.