________________
૯૨
૪. વનું જેવું સ્વરૂપ હોય તેવું જાણવું તે જ્ઞાન છે. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું માનવું તે શ્રદ્ધા છે. સમ્યગ્દર્શન એટલે યથાર્થ વસ્તુસ્વરૂપની સમજણ.
૫. સમ્યક્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, આત્માની પ્રતીતિ - લક્ષ - · અનુભવ.
૬. સમકિત એટલે સાચી માન્યતા - યથાર્થ ઉચિત સત્ય.
૭. સમ્યક્ત્વ શબ્દનો અર્થ છે સચ્ચાઈ -પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે.
૮. જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી-છે છતાં કલમ લખી નથી શકતી, કથન કરી શકાતું નથી એવો માત્ર અનુભવ છે. આ સંપૂર્ણ નિર્વિકલ્પદશાની વાત છે. ૯. સમ્યક્ત્વ વસ્તુતઃ બહુ સૂક્ષ્મ છે - બહુ ભાગ વચનને અગોચર છે.
૧૦. વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને જ સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે.
૨૦ સ્વરૂપની સમજણ :
૧. સ્વરૂપની સમજણને જ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
૨. સ્વરૂપનું સ્વયંના જ્ઞાનમાં સ્પષ્ટપણે ગ્રહણ થવું તે જ્ઞાનની સમ્યક્ સ્પષ્ટતા છે.
૩. સ્વરૂપદષ્ટિ સ્વરૂપને જોઈને સ્વયંના મહિમાને કારણે સ્વરૂપમાં અભેદ થઈ જાય તે દૃષ્ટિનું સમ્યક્ત્વ છે. ૪. વ્યવહારનો વ્યવહારના સ્થાનમાં નિષેધ ન કરવો તે સમ્યક્ છે અને સાથે જ વ્યવહારનો નિશ્ચયના
સ્થાનમાં નિષેધ કરવો તે સમ્યક્ત્વ છે. જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તેઓ નિશ્ચયાભાસી છે અને આ વ્યવહારને ધર્મ માને એ વ્યવહારાભાસી છે. બન્ને મિથ્યાદષ્ટિ છે. ૫. પરદ્રવ્ય અને પરભાવમાં પોતાપણું તે મિથ્યાત્વ છે. પરદ્રવ્ય અને પરભાવમાં પરપણાનો ભાવ તે સમ્યક્ત્વ છે.
૬. પરદ્રવ્ય અને રાગનું એકત્વ અને કર્તૃત્વ જો મિથ્યા છે તો પરદ્રવ્ય અને રાગનું જ્ઞાતાપણું સમ્યક્ત્વ છે. ૭. પરદ્રવ્યની આધારબુદ્ધિ મિથ્યાત્વ છે જ્યારે સ્વદ્રવ્યની આધારબુદ્ધિ સમ્યક્ત્વ છે.
૮. પરદ્રવ્યમાં સુખબુદ્ધિ મિથ્યાત્વ છે તો સ્વદ્રવ્યમાં સુખબુદ્ધિ તે સમ્યક્ત્વ છે.
૩૯. જાણીને પ્રયોજન સાધવું તે જ્ઞાનનું સમ્યક્ત્વ છે. જાણવા છતાં પ્રયોજન ન સાધવું તે જ્ઞાનનું મિથ્યાત્વ
છે.
૧૦. આત્માના સર્વ ગુણોનો સ્વરૂપાકાર પરિણમતો અંશ તે પરિણમનનું સમ્યક્ત્વ છે.
૨૧ સમ્યગ્દર્શનની ટૂંકી વ્યાખ્યાઓ ઃ
૧. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું’ એવો દૃઢ ભાવ સમ્યક્ત્વ છે.