________________
૯૧
૮. બાહ્ય ક્રિયાકાંડમાં રાચતાં - તથા પ્રકારનું અંતરપરિણમન હોતું નથી - રાગ અને જ્ઞાનનો અંતરભેદ જણાતો નથી.
૯. સમ્યગ્દર્શન થયાં પહેલાં બાહ્ય ચારિત્રનો અંગીકાર મોક્ષમાર્ગ બનતો નથી.
૧૦. પ્રયોજનભૂત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન નથી.
૧૧. બાહ્ય સંયોગોમાં સુખ નથી કે દુઃખ નથી તેમજ તે સુખ-દુઃખના કારણ નથી એવી પ્રતીતિ થઈ નથી.
૧૨. ઇન્દ્રિયજ્ઞાન આત્માનો અનુભવ કરી શકે નહિ - કારણ કે આત્મજ્ઞાન એ અતીન્દ્રિય જ્ઞાનનો વિષય છે એ લક્ષમાં આવ્યું નથી.
૧૩. ચૈતન્ય સ્વભાવનું વેદન તે જ સાચો, મધુર અને પરમ શાંત રસ છે એ ખ્યાલ જ નથી. ૧૪. સ્વસંવેદન - પ્રત્યક્ષ એવા જ્ઞાનથી મોક્ષમાર્ગ બને છે એ ખ્યાલ જ નથી.
૧૫. શુભ પરિણામ-વ્યવહાર ધર્મ-પુણ્ય પ્રકૃત્તિથી પણ આગળ-આત્મભાવનાના વિકલ્પથી પણ આગળપેલે પાર નિર્વિકલ્પદશા -કોઈ અતીન્દ્રિય આત્મધર્મ છે એ જાણકારી હજુ થઈ નથી.
૧૬. આત્માને બંધનમાંથી છૂટવાનું કારણ સ્વયં પોતાના આત્મામાં જ પડેલું છે, તેવી શ્રદ્ધા અને ભાન પણ થયું નથી તેથી દૃષ્ટિ બાહ્ય ક્રિયાઓમાં જ છે.
૧૭. જેને તે ઓળખે તેના મૂળ કારણને ન જાણે અને કારણ કાંઈ બીજુ જ માને તે કારણ વિપરીતતા છે. ૧૮. મૂળભૂત વસ્તુસ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને એ સ્વરૂપ વિપરીતતા છે. ૧૯. મારું આત્મસ્વરૂપ શેનાથી ભિન્ન છે અને શેનાથી અભિન્ન છે એમ યથાર્થ ન જાણતાં અન્યથા ભિન્નઅભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે.
૨૦. અજ્ઞાન-ચેતનાના જોરે-પરનું કર્તૃત્વ, ભોકતૃત્વ, પરનું સ્વામીત્વ અને ઐક્ય અભિપ્રાયમાંથી છુટતું નથી.
આવા અનેક કારણોમાંથી મુખ્ય કારણોનો વિચાર કરવાથી મોક્ષ કેમ નહિ ? એ પ્રશ્નનો યથાર્થ નિરાકરણ થાય છે.
૧૯ સમ્યક્ત્વ શું છે ?
૧. મૂળમાં ‘સમ્યક્’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. આ શબ્દ આત્માભિમુખ એવી દિશ. સુચકપણાનો
પ્રકાશક છે.
૨. સમ્યક્ત્વનો જૈન સંપ્રદાયમાં રૂઢિ અર્થ ‘સત્ય’ અને ‘ઉત્તમ’ છે.
૩. આત્મા દ્રવ્ય છે. અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત વીર્ય-અનંત સુખ આત્માના ગુણ છે. ‘સમ્યક્ત્વ’ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે.