________________
સ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વીતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યગ્દર્શન કર્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ!
‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે.’ આ શાસ્ત્રનું જ્ઞાન છે તે જ્ઞાન એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદનરૂપે, સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું - પરિણમવું અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યજ્ઞાન કહે છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જણાય છે. જ્ઞાનીનું લક્ષ -દષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવું - પરિણમવું એને જ્ઞાન કહ્યું છે.
પુષ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગ સ્વરૂપે જીવ છે અને એવું વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ, ૨૮ મૂળ ગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. અવ્રત તે પાપ છે, વ્રત છે તે પુણ્ય છે, બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું - પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતરએકાગ્ર થઈ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ રાગના અભાવરૂપ પરિણમન તે સમ્યચ્ચારેત્ર છે. સ્વરૂપના આચરણરૂપચારિત્રછે તે જ વીતરાગી ચારિત્ર છે. ચારિત્રતોરાગના અભાવરૂપ આત્માનું આત્મરૂપ-વીતરાગરૂપ પરિણમન છે. જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગની ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. મોક્ષનું કારણ આવું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
૧૮ મોક્ષ કેમ નહિ?:
૧. આત્મજ્ઞાનની શ્રદ્ધા નથી. (મિથ્યાત્વ છે.) ૨. આત્માનુભૂતિ વિના મોક્ષમાર્ગ શરૂ થતો નથી. ૩. સ્વભાવની (નિજ આત્મદ્રવ્યની) રુચી થઈ નથી. ૪. મોક્ષમાર્ગથી અજાણ હોવાથી આત્મપ્રાપ્તિનો ક્રમ ખ્યાલમાં નથી. આત્મવિચાર - આત્માભાવના -
આત્મશ્રદ્ધા કરી નથી. ૫. શુભાવનો મહિમા ન હોવાથી તેનો પરિચય અને પ્રીતિ ન થઈ હોવાથી તેની ઉપાસના થતી નથી. ૬. ઉપયોગને અંતર્મુખ કરીને ત્રિકાળી ચૈતન્યદ્રવ્યમાં એકાગ્ર કરવો તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો એક
જ ઉપાય છે એ સમજણ નથી. ૭. નિજ દ્રવ્ય પર દષ્ટિ ન હોવાથી શાસ્ત્રજ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે.