SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ સુગમ છે. અનાદિથી સ્વરૂપના અન-અભ્યાસને કારણે તે અઘરું લાગે છે. પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે. હે પ્રભુ! તારા પ્રભુત્વની એકવાર હા તો પાડ! ૧૭ પરમાર્થ મોક્ષનું કારણ “જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે; રાગાદિ-વર્જન ચરણ છે, આ જ મુક્તિ પંથ છે.” -રામયસાર ૧૫૫ ગાથાર્થ: જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે, આ જ મોક્ષનો માર્ગ છે. ટીકાઃ મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલીત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) જ છે, માટે જ્ઞાન જ પરમાર્થનું મોક્ષ કારણ છે. ભાવાર્થ આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. તેથી, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર' એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે. વિશેષ પ્રવચનઃ વીતરાગ સ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું થયું - પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય તે સમકિત છે. હું સદાય વીતરાગ સ્વરૂપ જ છું' આ જે પર્યાયમાં રાગ છે એ કાંઈ મારી ચીજ નથી, આવો જે પ્રતીતિ ભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ તે વીતરાગી ચારિત્ર છે. શુભાશુભ રાગથી રહિત ભગવાન આત્મા એકલો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. એનું પોતાના શ્રદ્ધાન સ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગ રહિત પરિણમનરૂપ છે. સર્વથા સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયક તત્ત્વ છે, એ પુણ્યપાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન જ્ઞાયકના શ્રદ્ધાનપણે થવું - પરિણમવું તે સમ્યગ્દર્શન છે. જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામે થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને આત્માના આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. જીવાદિનું શ્રદ્ધાન સમકિત એમ જે કહ્યું ત્યાં આ એકેન્દ્રિયાદિ જીવ છે અને આ ઘટપટ અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી. પરંતુ જીવ જ્ઞાયકભાવે વીતરાગ સ્વભાવે છે અને રાગ સ્વભાવે - કર્મ સ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જેવીતરાગી પરિણતિ થવીતે સમકિન છે. વીતરાગ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy