SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન વગર ગમે તેટલો રાગ ઘટાડે કે ત્યાગ કરે પરંતુ સાચી સમજણ વગર સમ્યગ્દર્શન થાય નહિ. પરંતુ વિકામાં અને જડની ક્રિયામાં કર્તુત્વનો અહંકાર કરીને સંસારમાર્ગમાં જીવ દુર્ગતિમાં ધસી પડશે. અજ્ઞ નીને અનાદિથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, ભ્રમ છે, ગાંડપણ છે. આ વ્યામોહ જ સંસારનું મૂળ છે. આત્મા અને રાંગના જુદાપણાનું સમ્યજ્ઞાન તે જ એકમાત્ર મોહ છેદવાનો ઉપાય છે. જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે. તારામાં પુરુષાર્થ કરીને પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કર. “પ્રજ્ઞા છીણી પટકવી” એટલે શું? સમજ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું. આ ચૈતન્યસ્વરૂપ હું આત્મા અને આ પર તરફ જતી લાગણી તે રાગ - એમ આત્મા અને બંધની જુદાપણાની સાંધ જાણીને અર્થાત્ બન્નેના જુદા જુદા લક્ષણ દ્વારા તેમને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાનને ચૈતન્યસ્વભાવી આત્મામાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે - તે જ પ્રજ્ઞાછીણી પટકવી” છે. આ સમજ્યા વગર અન્ય કોઈ પણ ઉપાય મુક્તિ માટેનો નથી. ચૈતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ન સમજાય' એ વાત જડના ઘરની છે. સમજવું એ તો આત્માનો સ્વભાવ છે. “આત્માની વાત ન સમજાય' એમ કહેનારને આત્માની રુચિ જ નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમજ્ઞાન જ છે અને સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે. મોક્ષનું મૂળ ભેદજ્ઞાન જ છે. રાગ અને જ્ઞાન વચ્ચે અભેદબુદ્ધિ(એકત્વ બુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનીએ પ્રજ્ઞાછીણી વડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે તે સમ્યજ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. વિકારી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યજ્ઞાન વડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. શરીરની ક્રિયા અને શુભ રાગનો અહંકાર - વ્યવહારે કહો તો પુણ્ય ભાવ કર્યા છે અને પરમાર્થથી તો તેણે મિથ્યાત્વ પુષ્ટ કરીને પાપ જ કર્યું છે. રાગમાત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને અનુભવ કરવો તે જ સમ્યગ્દષ્ટિનો ધર્મ છે. એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, વીતરાગ છો! પણ તને તારા સ્વરૂપની ખબર નથી. એનો મહિમા તને આવ્યો નથી. ભાઈ ! એક વાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વ ઘરમાં તો જો ! શાંતિ તો તારા સ્વ ઘરમાં જ ભરી છે. તું ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છો ! પોતાનું આત્મસ્વરૂપ સમજવું
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy