________________
૮૫
સફચારિત્રઃ અહીં ‘સમ્યક પદઅજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે વાપર્યો છે. સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે.
આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો છે. આ ત્રણેનું એકત્વ તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ એટલે પોતાના આત્માની શુદ્ધતાનો પંથ-રસ્તો-માર્ગ
ઉપાય; તેને સ્વરૂપમાર્ગ અથવા કલ્યાણમાર્ગ પણ કહેવાય છે. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમશ્યારિત્રની વ્યાખ્યાઃ '
સમજ્ઞાનઃ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન, એકક્ષેત્રાવગાહપણે રહેલા શરીરથી પણ ભિન્ન, એવા જ્ઞાનદર્શન ઉપયોગ લક્ષણ સંપન્ન, ચૈતન્ય ચમત્કાર માત્ર એવા આત્માનું સદ્ગુરુના ઉપદેશથી જ્ઞાન કરવું, એવા સ્વથી એકત્વ અને પરથી વિભક્ત આત્માને યથા સ્વરૂપે જાણવો તેનું નામ જ્ઞાન છે. સમ્યગ્દર્શન જે જ્ઞાન કરીને અજર, અમર, ટંકોત્કીર્ણ આત્માને દ્રવ્યાર્થિક નયથી જાણ્યો, તેની શંકાદિ રહિત શુદ્ધ-નિર્મળ પ્રતીતિ કરી, શ્રદ્ધા કરી તેને ભગવંતે દર્શન કહ્યું છે. જેનું બીજું નામ સમકિત છે. સમ્યક્ ચારિત્ર: એ આત્માની પ્રતીતિ-શ્રદ્ધા આવી અને તેને વિશ્વના સમસ્ત પદાર્થોથી ભિન્ન અને કાંઈ પણ સંગ-સ્પર્શ-સંપર્ક વિનાનો અસંગ જાણ્યો, તે પ્રમાણે એવો ભિન્ન અસંગ સ્થિર સ્વભાવ ઊપજે અર્થાત્ આત્મા આત્મભાવમાં સ્થિર થાય તેનું નામ બાહ્યલિંગાદિની અપેક્ષા વિનાનું ભાવ ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર છે. - આ ત્રણે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદતાને જ નિશ્ચય મોક્ષમાર્ગ કહે છે. મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. નિજ પરમાત્મ તત્ત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નાત્રયાત્મક
પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. ૧૫ સતધર્મ અને સમ્યગ્દર્શન :
કેવળી ભગવંતો દ્વારા પ્રરૂપાયેલો ધર્મ તે મૂળમાં તો એક જ પ્રકારે છે. પણ વિશેષ પ્રકારે તેને સમજાવવા માટે આચાર્ય ભગવંતોએ ચાર પ્રકારે સમજાવ્યો છે. ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. ૨. ઉત્તમ ક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્યરૂપી દશ લક્ષણી
ધર્મ. ૩. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્રયુક્ત અભેદ પરિણામ - રત્નત્રયુક્ત ધર્મ, ૪. અહિંસા પરમો ધર્મ.
ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષના અભિલાષી જીવોને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મનો આશ્રય લેવો જોઈએ.