________________
૮૬
હે વ ! પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહિ તે નક્કી કર. જો ધર્મ કરવો હોય તો ‘પરના આશ્રયે મારો ધર્મ નથી’ એવી શ્રદ્ધા દ્વારા પરાશ્રય ઉપર અભિપ્રાયમાં પ્રથમ કાપ મૂક. પરથી જે જે પોતામાં થતું માન્યું છે તે તે માન્યતાને સાચા ભાન વડે બાળી નાખ. જેમ સાત(પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વોને જાણીને તેમાંથી જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, તેમ અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેને જાણી, તેમાંથી એક જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે અને તે જ સમ્યગ્દર્શન છે એમ સમજવું.
સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય એ બન્ને છે. સમ્યક્ચારિત્ર તે ચારિત્ર ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે તે વરતુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે - એમ જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્ત સ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત દૃષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે દિનેશ્વરના માર્ગને - ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે.
સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યક્ અનેકાન્ત દૃષ્ટિ છે.
મિથ્યા એકાંત દષ્ટિને વીતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક્ અનેકાન્ત દષ્ટિ વડે દૂર થઈ
શકે છે.
જિજ્ઞાસુ જીવોએ જીવાદિ દ્રવ્યો તથા તત્ત્વોને પિછાણવાં; ત્યાગવા યોગ્ય એવાં મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ ઓળખવું, પ્રમાણ-નયો વડે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું તથા નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન વડે અને સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંત, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગ દ્વારા તેમના વિશેષો જાણવા. સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વ જાણવાના આ ઉપાય છે.
૫૬ સમ્યગ્દર્શનનું સ્વરૂપ :
અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંતકાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે; પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ કરીને, પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાના ટાણાં આવ્યા છે અને તેનો પ્રથમ ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન છે.
ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વાનુભૂતિ એ જ ધર્મનું પહેલું પગથીયું છે, ધર્મનો એકડો છે. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. એ સિવાય ગમે તેટલા