________________ દુર્જન પણ કોઈ મોટા સંતની છાયામાં જઈને ઉભો રહે, તેની છાપ બદલાઈ જાય. રાગ, માન અને શોક જેવા મોટા દોષો પ્રભુ ગૌતમનાં શરણે ગયા. અને, તે દોષો પણ વખણાઈ ગયા. ગૌતમપ્રભુ સેવેલા રાગ પર કોને રાગ ન થાય ? ગૌતમપ્રભુના મનને માન આપવાનું મન કોને ન થાય ? ગૌતમપ્રભુના શોકની ક્ષણોએ સહુના શોકનું નિવારણ કર્યું. ગુણોને આશ્રય આપીને ઘણાં ગુણવાન બન્યા...પરંતુ, ખ્યાતનામ દોષોને આશ્રય આપીને ગુણવાન બનેલા વિરલ વિભૂતિ એટલે શ્રી ગૌતમરવાની