________________
પારકી ભાષા સદા નિરાશા
વાણી એ માનસમૃષ્ટિને વરેલું એક ઉત્તમ વરદાન છે. આ વરદાનને સફળ કરવાનું માધ્યમ ભાષા છે. વિજળીને પસાર થવા માટે તાર જોઈએ છે, વાણીને વહેવા માટે ભાષા જોઈએ છે. વર્તમાન વિશ્વ આજે પણ હજારો ભાષાઓ અને બોલીઓની ભવ્ય સમૃદ્ધિ ધરાવે છે. ભાષાજ્ઞાન પણ જ્ઞાનવિકાસનું એક મજાનું ક્ષેત્ર છે. વિવિધ ભાષાનું જ્ઞાન હોવું તે પણ વિદ્વત્તાનું પ્રતિક છે. વિવિધ ભાષા પરનું પ્રભુત્વ એ ગૌરવ અને સન્માનનો વિષય છે. અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ ખૂબ આદરપાત્ર ગણવામાં આવે છે. દોઢ વર્ષ પૂર્વે જ સ્વર્ગવાસ પામેલા વિદ્વાન જૈનમુનિરાજ પૂ. શ્રી જંબૂવિજય મ.સા. પ્રાકૃત અર્ધમાગધી, પાલિ, શૌરસેની, સંસ્કૃત, ગુજરાતી, હિંદી, મરાઠી, કચ્છી, બંગાળી, પંજાબી, નેપાળી, તિબેટિયન-ભોટ, ફ્રેન્ચ, જર્મન અને ઈટાલિયન આ ૧૬ ભાષા જાણતા હતા. દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત અનેક ભાષાઓ શીખવાનો શોખ અને ઉદ્યમ કેળવવો જોઈએ.
સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ જેવી આપણી પ્રાચીન અને પૌરાણિક ભાષાઓ ખાસ શીખવા જેવી છે. અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન વગેરે વિદેશી ભાષાઓ શીખવાનો ઉત્સાહ હજુ દેખાતો હોય છે. પણ, આપણી ગૌરવવંતી અને સુસમૃદ્ધ પ્રાચીન ભાષાઓ શીખવાની તત્પરતા દુર્લભ બની છે. આપણો ભવ્ય અને સમૃદ્ધ સાહિત્ય વારસો આ ભાષાઓમાં આલેખિત થયેલો છે.
ભવ્ય ભાષા માતૃભાષણ
૩૮